શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (17:47 IST)

ઘરેથી નીકળતા પહેલા કરો આ ઉપાય ચોક્કસ સફળતા મળશે, અજમાવી જુઓ

- લાલ કિતાબના કેટલાક ટોટકા ખૂબ જાણીતા છે. જેવા કે કોઈ કાર્યની સફળતા માટે ઘરમાંથી નીકળતા પહેલા જ જતી વખતે તમારા હાથમાં રોટલી લઈ લો. રસ્તામાં જ્યા પણ કાગડા દેખા ત્યા એ રોટલીના ટુકડા નાખી દો અને આગળ વધો.  તેનાથી સફળતા પ્રાપ્ત થાય છે.  
 
- કોઈપણ જરૂરી કામ માટે ઘરેથી નીકળતી વખતે ઘરના ઉંબરાની બહાર પૂર્વ દિશા તરફ એક મુઠ્ઠી જંગલી વેલને મુકી તમારુ કામ બોલતા જાવ. તેના પર જોર લગાવીને પગ મુકીને કામ માટે નીકળી જાવ.  ચોક્કસ જ કામમાં સફળતા મળશે. 
 
- ઘરેથી કોઈપણ શુભ કાર્ય માટે નીકળતા પહેલા શ્રી ગણેશાય નમ: બોલો પછી વિરુદ્ધ દિશામાં 4 પગ જાવ. ત્યારબાદ કાર્ય પર નીકળી જાવ. કામ જરૂર થશે. 
 
- ઘરમાંથી નીકળતી વખતે ગોળ ખાઈને થોડુ પાણી પીધા પછી જ નીકળો.. કામમાં સફળતા મળશે. 
 
- ઘરના ઉંબરાની બહાર થોડા કાળા મરીના દાણા વિખેરી દો અને તેના પર પગ મુકીને નીકળી જાવ પછી પલટીને ન જોશો. આ ઉપાયથી બગડેલા કામ બની જશે. 
 
- કોઈપણ સારુ કામ કરવા માટે નીકળતા પહેલા દહી-ખાંડ ખાઈને નીકળો. 
 
- ઘરમાંથી નીકળતા પહેલા તુલસીના પાન ખાઈને નીકળવુ પણ શુભ માનવામાં આવે છે.