શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : શનિવાર, 24 નવેમ્બર 2018 (18:02 IST)

આર્થિક સમસ્યાથી પરેશાન છો તો લાલ કિતાબના આ ટોટકા અપનાવો

લાલ કિતાબમાં કેટલાક ટોટકા આપવામાં આવ્યા છે જે ખૂબ સચોટ માનવામાં આવે છે. આર્થિક સમસ્યામાંથી છુટકારો મેળવવા આવુ કરો. 
 
જો તમે હંમેશા આર્થિક સમસ્યાથી પરેશાન છો તો એ માટે તમે 21 શુક્રવાર 9 વર્ષથી ઓછી વયની 5 કન્યાઓને ખીર અને સાકરનો પ્રસાદ વહેંચો 
 
-  ઘર અને કાર્યસ્થળમાં ધનાર્જન માટે તમે તમરા ઘર દુકાન કે શોરૂમમાં એક અલંકારિક ફુવારો મુકો કે પછી એક માછલી ઘર જેમા 8 સોનેરી અને એક કાળી માછળી મુકો. તેને ઉત્તર કે ઉત્તર પૂર્વની તરફ મુકો. જો કોઈ માછલી મરી જાય તો તેને કાઢીને નવી માછલી લાવીને તેમા નાખી દો. 
 
- કોઈ પરેશાની થતા એક તાંબાના પાત્રમાં પાણી ભરીને તેમા થોડુક લાલ ચંદન મિક્સ કરી દો. એ પાત્રને માથા પાસે મુકીને રાત્રે સૂઈ જાવ. સવારે એ પાણીને તુલસીના છોડ પર ચઢાવી દો. ધીરે ધીરે પરેશાની દૂર થશે.