શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : બુધવાર, 15 મે 2019 (18:58 IST)

જે વ્યક્તિ ગુરૂવારે કરે છે આ કામ તે જલ્દી બને છે ધનવાન

ગુરૂવાર દેવોના ગુરૂ બૃહસ્પતિનુ વર્ચસ્વ સ્થાપિત છે. પોતાના ગુરૂના બતાવેલ માર્ગ પર ચાલીને દેવોએ અપાર ધન-સંપત્તિ પ્રાપ્ત કરી સ્વર્ગનુ સામ્રાજ્ય ભોગવ્યુ. ગુરૂવારનો દિવસ દેવ ગુરૂને ખૂબ પ્રિય છે. તેથી તમે પણ તેને પ્રસન્ન કરી ધનવાન બની શકો છો. ગુરૂવારના દિવસે કરો આ કામ તમારા જીવનની બધી પ્રતિકૂળ સ્થિતિયોનો થશે નાશ અને અનુકૂળતાની થશે શરૂઆત 
સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરો. ન્હાવાની ડોલમાં એક ચપટી હળદર નાખી દો. પીળા વસ્ત્ર પહેરો. ૐ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરતા કેસરનુ તિલક લગાવો. હવે કેળાના વૃક્ષને જળ અર્પિત કરી સરસવના તેલનો દીપક અર્પિત કરી ગોળનો ભોગ લગાવો. ત્યા જ આસન પાથરીને બેસી જાવ અને વિષ્ણું સહસ્ત્રનામનો પાઠ કરો. 
 
- શિવ મંદિરમાં જઈને તેમને બેસનના લાડુઓનો ભોગ લગાવો 
 
- હળદરની માળાથી ૐ બૃં બૃહસ્પતયે નમ: મંત્રનો જાપ કરો. 
 
- પીળી ગાંઠવાળી હળદરને પીળા દોરથી પિરોવીને ગળા અથવા હાથમાં ધારણ કરો. 
 
- પીળી હળદર ખાવાથી ભોજનનો સ્વાદ તો વધે જ છે સાથે જ આ તમારી કિસ્મત પણ ચમકાવી શકે છે.  ગુરૂવારના દિવસે ભોજ્ય પદાર્થોમાં જરૂર કરો તેનો પ્રયોગ... 
 
- લાલ રંગની ગાયને ગોળ ખવડાવો 
- ગુરૂવારે બૃહસ્પતિ દેવનુ વ્રત કરવાથી ઘરમાં હંમેશા સુખ સંપત્તિ ભરપૂર રહે છે.