સંબંધિત સમાચાર
- રશિયાએ યુક્રેન પર ફરી હુમલો કર્યો, 450 થી વધુ ડ્રોન અને 45 મિસાઇલો છોડ્યા, જેમાં 7 લોકો માર્યા ગયા.
- યુક્રેને રૂસી સૈનિકો સાથે મોરબીનો વિદ્યાર્થીને પણ કર્યો અરેસ્ટ
- યુક્રેનમાં પેસેંજર ટ્રેન અને પાવર ગ્રિડ પર રૂસનો મોટો હુમલો, 50 હજારથી વધુ ઘર અંધારામાં ડૂબ્યા, ડઝનો ઘાયલ
- રશિયાએ ફરી યુક્રેન પર ઘાતક હુમલો કર્યો, રાજધાની કિવને નિશાન બનાવ્યું; 3 લોકોના મોત, 12 ઘાયલ
- Russia Ukraine War: કુર્સ્ક પરમાણુ પ્લાન્ટ નજીક રશિયાએ યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યું, શું યુદ્ધ બંધ નહીં થાય?
ઝેલેન્સ્કીએ કહ્યું - યુક્રેનને કાં તો પોતાની ગરિમા ગુમાવવી પડશે કાં તો અમેરિકાનો સાથ છોડવો પડશે
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું છે રશિયા સાથે યુદ્ધ ખતમ કરવા માટે અમેરિકાએ જે શરત મૂકી છે તેના કારણે એ તેનું સમર્થન ગુમાવી શકે છે.
શુક્રવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનને "એક ખૂબ મુશ્કેલ પસંદગી કરવી પડી શકે છે. કાં તો આપણે આપણી ગરિમા ગુમાવવી પડશે અથવા તો આપણા સૌથી મહત્ત્વના સાથીદાર (અમેરિકા)નો સાથ ગુમાવવો પડશે."
તેમણે કહ્યું, "આ આપણા ઇતિહાસની સૌથી કપરી ક્ષણો પૈકી એક છે."
રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ કરાવવા માટે અમેરિકાની શાંતિ યોજનાનું ફ્રેમવર્ક સામે આવ્યા બાદ ઝેલેન્સ્કીએ આ વાત કહી. આ શાંતિ યોજના મીડિયામાં લીક થઈ ગઈ હતી.
તેમાં યુક્રેન માટે એ જ શરતો મુકાઈ હતી, જેનો તેઓ ઇનકાર કરી ચૂક્યા છે. 28 પૉઇન્ટના આ શાંતિ ફ્રેમવર્કમાં યુક્રેનના પૂર્વ દોનેત્સ્ક ક્ષેત્રથી પાછા હઠવા, પોતાના સૈનિક ઘટાડવા અને નાટોમાં ક્યારેય સામેલ ન થવાની ગૅરંટી આપવા જેવી શરતો સામેલ છે.
રશિયાએ યુક્રેન પર 2022માં આક્રમણ કર્યું હતું. હાલ યુક્રેનના 20 ટકા વિસ્તાર રશિયાનો કબજો છે.
