ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Updated : બુધવાર, 11 જાન્યુઆરી 2023 (07:52 IST)

Chanakya Niti : આ 5 કામ જે લોકો નથી કરતા તેમનુ જીવન પશુ સમાન હોય છે

chanakya  niti
આચાર્ય ચાણક્યનુ માનવુ હતુ  કે ભગવાને મનુષ્યને વિશેષ ગુણો આપ્યા છે, જેનો દરેકે આદર કરવો જોઈએ. આ વિશેષ ગુણો માણસને પ્રાણીઓથી અલગ પાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ગુણોમાં સુધારો કરવો જોઈએ. આચાર્યએ 5 કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે જેઓ આ નથી કરતા તેમનું જીવન પ્રાણીઓ જેવું છે.
 
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં એક શ્લોક દ્વારા કેટલાક ગુણો વિશે જણાવ્યું છે. શ્લોક છે- 'યેષાં ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શિલમ ન ગુણો ન ધરમઃ, તે મત્ર્ય લોકે ભુવિ ભારભૂતા મનુષ્યરૂપેણ મૃગાશ્ચરન્તિ' આ શ્લોકમાં આચાર્યએ વિદ્યા, તપ, દાન અને નમ્રતાનું મહત્વ જણાવ્યું છે. તમે પણ જાણો તેના વિશે.
 
આચાર્યનુ તાત્પર્ય છે કે જ્ઞાન પ્રાપ્ત કરીને વ્યક્તિનું જ્ઞાન વિસ્તરણ થાય છે. તે શિક્ષિત વ્યવ્હાર કરે છે અને સમાજમાં માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. તેથી વ્યક્તિએ બને તેટલું જ્ઞાન મેળવવું જોઈએ. જ્ઞાન પ્રાપ્ત કરવાનુ સૌભાગ્ય માત્ર મનુષ્યોની પાસે જ છે પશુઓ પાસે નથી.  
 
મનુષ્યને જ ભગવાને કામ કરવાનો ગુણ આપ્યો છે, જેથી તે મુક્તિના માર્ગ તરફ આગળ વધી શકે. આવી સ્થિતિમાં વ્યક્તિએ સારા કર્મો કરવાની સાથે તપસ્યા માટે પણ થોડો સમય ચોક્કસ કાઢવો જોઈએ.
 
 દાનનું મહત્વ શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે. દાન કરવાથી તમારા ખરાબ કર્મ દૂર થાય છે અને તમારું જીવન સમૃદ્ધ બને છે. જે વ્યક્તિ પોતાના માટે કમાય છે અને દાન નથી કરતો, તેનું કર્મ પ્રાણી જેવું છે.
 
નમ્રતા હંમેશા જ્ઞાનમાંથી આવે છે. તમે જેટલા નમ્ર થશો, તમારું વ્યક્તિત્વ એટલું જ મહાન બનશે. તેથી તમારા વર્તનમાં નમ્રતા કાયમ રાખો.