શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 19 ઑગસ્ટ 2022 (17:46 IST)

એક્ટ્રેસે સંન્યાસ લઈ ભગવા કર્યો ધારણ, મુંબઈ છોડીને તીર્થયાત્રા પર નિકળી

"સ્વરાગિની" અને "અગલે જનમ મોહે બિટિયાહી કીજો" જેવા ટીવી શોમા જોવાતા નુપુર અલંકારને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 27  વર્ષના એક્ટિંગ કરિયર પછી નુપુર ગ્લેમર લાઈફ મૂકી સંન્યાસી બની ગઈ છે. નુપુર શોબિજની દુનિયાને અલવિદા કહી મોહ-માયા મૂકી તીર્થયાત્રા પર નિકળી ગઈ છે. 
 
નુપુર અલંકાર કોવિડ લૉકડાઉનના સમયે પૈસાની પરેશાનીથી ઝઝૂમી રહી હતી. હકીકતમાં નુપુર સંન્યાસ લીધા પછી એક સિંપલ લાઈફ જીવી રહી છે. એક્ટ્રેસ દિવસમાં એક પપૈયા અને એક સફરજન ખાય છે. તેમની પાસે માત્ર ચાર જોડી કપડા અને એક જોડી ચપ્પલ છે. નુપુરએ જણાવ્યુ કે તેના માટે આટલુ જ ઘણૌ છે તે તેમના ખર્ચા વિશે ચિંતિંત નથી. કારણ કે તેણે બધુ ભગવાનની ઉપર જ મૂકી દીધુ છે.