બુધવાર, 17 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 22 ઑગસ્ટ 2022 (12:35 IST)

વાસ્તુ ટિપ્સ- ધન લાભ માટે આમાંથી કરી લો એક ઉપાય

vastu tips for money: દરેક વ્યક્તિ માતા લક્ષ્મીનો વાસ તેમના ઘરમાં ઈચ્છે છે. વાસ્તુ શાસ્ત્રના મુજબ ઉત્તર દિશા ધનના દેવતા કુબેરની દિશા ગણાય છે. માન્યતા છે કે આ દિશાને સાફ-સુથરો રાખવાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ હોય છે. ધન લાભથી સંકળાયેલા કેટલાક ખાસ ઉપાય વાસ્તુ શાસ્ત્રમાં વર્ણિત છે. જો તમારી પાસે પણ ધન નથી ટકે છે અને આર્થિક પરેશાની છે તો અજમાવો આ વાસ્તુ ઉપાય 
 
1. વાસ્તુ શાસ્ત્રના મુજબ શંખનો સંબંધ માતા લક્ષ્મીથી હોય છે. તેથી પૂજા સ્થળ પર શંખ જરૂર રાખવું. ધનની દેવી માતા લક્ષ્મીની સાથે શંખની દરરોજ પૂજા કરવી. 
 
2. વાસ્તુ શાસ્ત્ર મુજબ ધરની બારી અને બારણાને દરરોજ સવારે જરૂર ખોલવો જોઈએ. વાસ્તુના મુજબ આવુ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે અને ધન આગમન હોય છે. 
 
3. વાસ્તુ શાસ્ત્ર મુજબ ધન પ્રાપ્તિ માટે લોકોને ઝાડૂ હમેશા છુપાવીને રાખવી જોઈએ. ઝાડૂનો સંબંધ માતા લક્ષ્મીથી ગણાય છે. તેથી તેને ક્યારે પણ તેને અહીં અને ત્યાં ફેંકશો નહીં અથવા તેને તમારા પગ નીચે આવવા દો નહીં.
 
4. ધાર્મિક માન્યતા મુજબ પીપળના ઝાડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી દરરોજ સ્નાન પછી પીપળના ઝાડમાં જળ આપવો જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન હોય છે. 
 
5. વાસ્તુના મુજબ આર્થિક પરેશાનીથી છુટકારો મેળવા માટે ફટકડીને એક વાસણમાં કોઈ એવા સ્થાન પર રાખવો જોઈએ. જ્યાં કોઈની દ્ર્ષ્ટિના પડે. સાથે જ દરરોજ પાણીમાં એક નાનો ફટકડીનો ટુકડો નાખી સ્નાન કરવો જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી ધનનો અભાવ ઓછુ થાય છે. 
 
6. વાસ્તુના મુજબ સાફ-સફાઈમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી ભૂલીને પણ ઘરને ગંદો નહી રાખવો જોઈએ. આવુ કરવાથી ઘરમાં સમૃદ્ધિ નથી થાય છે. 
 
7. વાસ્તુના મુજબ પૂજાસ થળ પર ચોખાના ઢગલા પર માતા અન્નપૂર્ણાની વિધિ-વિધાનથી સ્થાપના કરી દરરોજ તેની પૂજા કરવી માન્યતા છે કે માતા અન્નપૂર્ણની પૂજા કરવાથી ઘરમાં અન્ન અને ધનના ભંડાર હમેશા ભરેલો રહે છે.