ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 18 ઑગસ્ટ 2021 (16:05 IST)

વાસ્તુ મુજબ ઘરનુ મુખ્ય દ્વાર ક્યા હોવુ જોઈએ ??

આપણા ઘર ની અંદર પોઝિટિવ અથવા નેગેટિવ કેવી ઉર્જા આવશે તે આપણા ઘર ના આર્કિટેચરીયલ ડિઝાન પર ખુબ જ આધાર રાખતું હોઈ છે. ઘર ની અંદર સ્ટોર રમ ક્યાં હોવો જોઈએ ત્યાં થી લઇ ને મુખ્ય દરવાજો ક્યાં હોવો જોઈએ તે બધી જ વસ્તુ ને નક્કી કરવા માટે વાસ્તુ ના નિયમો હોઈ છે. અને તે બધા જ નિયમો માંથી આજે અમારે તમારી માટે મુખ્ય દરવાજા ના નિયમો વિષે જણાવીશું. તમારા ઘર ના મુખ્ય દરવાજા માટે આ શુભ વાસ્તુ ટિપ્સ વિષે જાણો
 
* દરવાજાની સામે રસ્તો ન હોવો જોઈએ નહિતર ગૃહસ્વામીની ઉન્નતિ નહિ થાય.
 
* ઘરના દરવાજાની સામે ઝાડ હશે તો બાળકો બિમાર રહે છે.
 
* ઘરના દરવાજાની સામે પાણી વહેતુ હશે તો ધનની હાનિ થાય છે.
 
* દરવાજાની સામે મંદિર હોય તો ઘરમાં ક્યારેય સુખ નહિ મળતું નથી.
 
* ઘરના દરવાજાની સામે જ સ્તંભ (થાંભલો) હશે તો સ્ત્રી હાનિનો ભય રહે છે.
 
* જો મુખ્ય દરવાજો એક હોય તો પુર્વ દિશામાં રાખો અને જો બે દરવાજાવાળો પ્રવેશદ્વાર હોય તો પુર્વ અને પશ્ચિમમાં રાખો.
 
* જમીનની તુલનામાં ઘરનો દરવાજો નીચો હોય તો ઘરના પુરૂષો વ્યસનાસિક્ત અને દુ:ખી રહે છે.
 
* ઘરની આગળ રસ્તો હોય તો ઘરની ઉંચાઈથી ડબલ જગ્યા છોડવાથી દોષ નથી લાગતો.
 
* જો કોઈ રસ્તો તમારા ઘર અને બિલ્ડિંગથી વળીને નીકળતો હોય કે પછી તમારી બિલ્ડિંગ સુધી આવીને સમાપ્ત થઈ જતો હોય તો તે શુભ છે.
 
* ઘરનો મુખ્ય દરવાજો હંમેશા અન્ય દરવાજાઓ કરતાં મોટો હોવો જોઈએ.