પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવરાએ જણાવ્યુ કે ક્રૂડ તેલના ભાવ ચાર-પાંચ અઠવાડીયા સુધી 60 ડોલરથી નીચે રહે તો સરકાર પેટ્રોલ, અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે.
એરક્રાફટની ક્ષમતા કરતા વધુ ત્રણ મુસાફરને ફલાઈટમાં સવાર થવાની અનુમતિ આપવા બદલ બે પાયલોટ સહિતના નવ કર્મચારીને હાંકી કાઢનારી અને હાલ આર્થિક સંકડામણમાં ફસાયેલી રાષ્ટ્ર સંચાલિત કંપની એરઈન્ડિયા દ્વારા વધારે કર્મચારીઓ સામે પગલાં ભરે એવી શકયતા છે.
2009 માટે ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈમાં હવે માત્ર થોડાક જ દિવસો બાકી છે. જો આપે હજી સુધી આપનું રિટર્ન નથી ભર્યુ તો, છેલ્લા દિવસની દોડધામ અને ધક્કામૂકીથી બચવા માટે તુરંત પહોચી જાવ આઈટી રિટર્ન ઓફિસ પર અને ભરી દો આપનું ટેક્સ.
વિજય માલ્યા દ્વારા પ્રવર્તિત કિંગફિશર એયરલાઈન્સ પોતાના વૈશ્વિક નેટવર્કનું વિસ્તરણ કરવા જઈ રહી હતી. કિંગફિશરે આ વર્ષે આઠ નવી આંતરરાષ્ટ્રીય માંર્ગો પર ઉડાન શરૂ કરવાની યોજના બનાવી છે.
સાર્વજનિક ક્ષેત્રની રાજસ્થાન બેંકે રાજસ્થાનના ખેડુતને ટ્રૈક્ટર ઉપલબ્ધ કરાવવા માટે વાહન નિર્માતા કંપની મહિન્દ્રા એંડ મહિન્દ્રા લિમિટેડ સાથે એક કરાર કર્યો છે.
વિશ્વવ્યાપાર સંગઠનના મહાનિદેશક પાસ્કલ લેમીએ જણાવ્યુ કે આવતા વર્ષ દરમિયાન વૈશ્વિક અર્થવ્યવસ્થાની વિકાસ દરમાં સુધારો આવવાની કોઈ સંભાવના નથી. લેમીએ ઈટલીના એક સમાચાર પત્રને આપેલી એક મુલાકાતમાં આ ટિપ્પણી કરી હતી.
ટાટા સમૂહના ચેરમેન રતન ટાટાએ સરકારી અધિકાર ધરાવતી એરઈંડિયાના પ્રસ્તાવિત નવા આંતરરાષ્ટ્રીય સલાહકાર બોર્ડમાં સામેલ થવાના મામલે હાલમાં કોઈ નિર્ણય કર્યો નથી.
ઇન્ફોસિસ ટેકનોલોજીએ નાણાંકીય વર્ષ 2010 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પરિણામો જાહેર કરી દીધા છે. જે બજારની અપેક્ષાઓ કરતા વધારે સારા રહ્યા છે.
કંપનીને પ્રથમ ત્રિમાસિક ઇન્ફોસિસને 1527 કરોડનો લાભ થયો છે. જે ગયા ત્રિમાસિક ગાળામાં 1613 કરોડ હતો. જો કે એક ...
પ્રખ્યાત રોકાણકાર વારેન બફેએ જણાવ્યુ કે અમેરિકન અર્થવ્યવસ્થાના બીજા પ્રોત્સાહન પેકેજની જરૂર પડી છે કારણ કે દેશ 80 વર્ષની સૌથી મોટી મંદીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યો છે.
સતત ત્રીજા દિવસે પણ મોઘવારી દર ઘટવા પામ્યો છે. 27 જુને સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન મોંઘવારીદર ફરી એકવાર નેગેટીવ ઝોનમાં રહેતા ઓછામાં 1.55 ટકા રહેવા પામ્યો હતો. સતત ચોથા સપ્તાહે મોંઘવારીદર શૂન્યથી નીચેની સપાટીએ રહેવા માપ્યો છે.
સરકાર હાલમાં મુશ્કેલીમાં સપડાયેલ વિમાની કંપની એર ઇન્ડિયામાંની પોતાની ભાગીદારીના એક હિસ્સાનું વિનિવેશ કરશે અને એર ઇન્ડિયાને પોતાની સ્થિતિ સુધારવા ૨૪ મહિનાનો સમય આપશે.