Newsworld News International 407

રવિવાર, 22 ફેબ્રુઆરી 2026
0

ભારતે દુનિયાને પોતાની તાકાત બતાવી

ગુરુવાર,માર્ચ 20, 2008
0
1
અલકાયદાના નેતા ઓસામા બિન લાદેને ગઈકાલે રાત્રે જારી કરેલી ઓડિયો ટેપમાં પેયગંબર મહોંમદને અપમાનિત કરતાં કાર્ટુનના પ્રકાશન માટે યૂરોપની નિંદા કરી છે અને તેની કિંમત યૂરોપને ચુકવવી પડશે તેવી ચેતવણી આપી છે.
1
2
ઓસ્ટ્રેલીયાના પૂર્વ વિદેશમંત્રી એલેક્ઝેન્ડર ડાઉનરે ઈરાક પર શરૂઆતી હુમલા બાદ જન્મેલા ઉગ્રવાદ માટે અમેરિકાને જવાબદાર ઠરાવ્યુ છે.
2
3
વિશ્વભરમાં ચકચાર જગાવનાર સ્કારલેટ હત્યા મામલા બાદ પણ ગોવામાં બ્રિટીશ પર્યટકોની સંખ્યામાં કોઈ ઘટાડો નોંધાયો હોય તેમ જણાતુ નથી. ગોવાના ટિકીટ બુકીંગ તથા ભારતીય એમ્બેસીમાં બ્રિટીશરોની વીઝા અરજીઓની સંખ્યામાં પણ કોઈ માઠી અસર પહોંચી નથી.
3
4
ભારતીય નૌસેનાએ કતાર સાથે તકનીકી સૈન્ય અને માનવ સંસાધન ક્ષેત્રમાં સહયોગ ઉપર ભાર મુકતાં ત્યાંની નૌસેનાના જવાનોને તાલિમ આપવાની તૈયારી બતાવી છે.
4
4
5
ભારતની પ્રસિદ્ધ લેખિકા અનિતા નાયરને બ્રિટનની પ્રતિષ્ઠીત ઓરેન્જ બ્રોડબેન્ડ પુરસ્કારની સંભવીત યાદીમાં શામેલ કરવામાં આવી છે. આ યાદીમાં નાયરની પુસ્તક મિસ્ટ્રેસરને શામેલ કરવામાં આવી છે. તેમની આ પુસ્તકને 25થી વધુ ભાષામાં અનુવાદીત કરવામાં આવી છે.
5
6
પાકિસ્તાનના સંસદની બહાર ખાનગી ચેનલના કેમેરામેન સાથે પોલીસની ગેરવર્તણૂકના વિરોધમાં પત્રકારોએ આજે નેશનલ એસેમ્બલીની કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો.
6
7
મિસીસિપી શિપયાર્ડમાં કથિત રીતે ગુલામો જેવો વ્યવહાર ભોગવી રહેલા અને દૂતાવાસના અસહોગાત્મક વલણના વચ્ચે 100થી વધુ ભારતીય શ્રમજીવીઓએ ચિમકી ઉચ્ચારી છે કે, જો ભારત તેમની સમસ્યાઓના ઉકેલ માટે અમેરિકા સાથે વાતચીત નહીં કરે તો તેઓ વોશિંગ્ટનમાં સત્યાગ્રહ કરશે.
7
8
કેબિનેટમાંથી હટાવી દેવાના મામલે મલેશિયાના સત્તાધારી પક્ષ બારિસન નેશનલ પાર્ટીના મહાસચિવ મહોંમદ રાજદી શેખ અહેમદે આજે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.
8
8
9

નેપાળમાં ઉમેદવારની હત્યા

બુધવાર,માર્ચ 19, 2008
નેપાળના સંવિધાન સભાની આગામી ચુંટણીના ઉમેદવારના ઘરમાં ધસી આવેલા બંદુકધારી શખ્સોએ આડેધડ ગોળીબાર કરી તેમની હત્યા કરી નાંખતા હાહાકાર મચી ગયો હતો.
9
10
તિબ્બતની આઝાદી માટે 1989 બાદ ફરી એકવાર તાજેતરમાં ભડકેલી હિંસા બાદ દેશની રાજધાની લ્હાસામાં 105 પ્રદર્શનકારીઓએ આત્મસર્મપણ કરી દીધુ હતુ. પોલીસનુ માનવુ છે કે, લોકોએ દલાઈ લામાના કહેવાથી પોલીસ સમક્ષ સર્મપણ કર્યુ હતુ.
10
11
સોવિયત સંઘના વિઘટનના સાક્ષી સામ્યવાદી નેતા મિખાઈલ ગોર્બાચોવે પહેલી વાર સ્વીકાર કર્યો છે તેઓ પોતે ખ્રિસ્તી છે. અગાઉ નાસ્તિક હોવાની ઘોષણા કરનારા ગોર્બાચોવે અચાનક ઈટાલીની અસિસીમાં સેંટ ફ્રાન્સીસના મકબરા પર પ્રાર્થના માટે પહોંચ્યા બાદ આ કબુલાત કરી હતી.
11
12
પાકિસ્તાની પુરાતત્વ વિભાગને ઐતિહાસીક નગરી તક્ષશિલામાંથી લાલ પત્થરની બનેલી 2000 વર્ષ પુરાણી બુદ્ધની પ્રતિમા મળી આવી હતી. જાણકારોનુ માનવુ છે કે, આ પ્રતિમા બીજી સદીની છે.
12
13
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની નેતા ફહમિદા મિર્ઝા પાકિસ્તાનની રાષ્ટ્રીય એસેમ્બલીની પહેલી મહિલા સ્પીકર તરીકે પસંદગી પામી છે. આજે તેમના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી.
13
14
નવી દિલ્હી. પાકિસ્તાન બોમ્બ બ્લાસ્ટ કેસ અંતર્ગત ફાંસીની સજા પામેલા ભારતીય સરબજીત સિંહની સજા એક મહીનો પાછળ ઠેલવામાં આવી છે. પાક સરકાર તેને આગામી પ્રથમ એપ્રિલે ફાંસીના માચડે ચઢાવવાની હતી.
14
15
જો તમને હંમશા માનસિક ચિંતા રહેતી હોય અને હ્રદય રોગનો ડર લાગ્યા કરતો હોય તો તેનો ઉપાય બિલકુલ સરળ છે અને તે છે ઘરમાં એક બિલાડી પાળો. આશ્વર્યની વાત છે પરંતુ લંડનમાં એક અભ્યાસ દરમિયાન તે સાચી સાબત થઈ છે.
15
16
અમેરિકાની એક અદાલતે ભારતનાં રાજકીય કર્મચારીઓનાં ઉપયોગમાં આવનારી 26 માળની ઈમારતનાં આંતરરાષ્ટ્રીય કરાર હેઠળ કર મુક્ત હોવાની દલીલને ફગાવી દીધા બાદ 4 કરોડ 24 લાખ ડોલરનો જમીન સંપત્તિ કદ ચૂકવવા આદેશ આપ્યો છે.
16
17
પૂર્વ શ્રીલંકામાં ધોધમાર વરસાદ બાદ આવેલા પૂરથી લગભગ સાત હજાર લોકોએ પોતાનાં ઘરોને છોડવા પડ્યાં છે અને તેમનાં મોટાભાગનાં લોકોએ સ્કૂલો અને મસ્જીદોમાં શરણ લીધું છે.
17
18
યમનમાં અમેરિકન દૂતાવાસ નજીક ગઈકાલે એક સ્કૂલ પર મોર્ટાર હુમલામાં 13 યુવતીઓ અને પાંચ સૈનિક ઘાયલ થયા હતાં. રાષ્ટ્રપતિ અલી અબ્દુલ્લા સાલેહે આ હુમલાને આતંકવાદી ઘટના ગણાવતા કહ્યું હતું કે, આતંકવાદી અને ગુનેગારોએ આ કૃત્ય માટે સજા ભોગવવી પડશે.
18
19
શ્રીલંકાનાં અશાંત ઉત્તર વિસ્તારમાં જુદાજુદા સ્થાનો પર સંઘર્ષમાં ઓછામાં ઓછા 19 એલટીટીઈ વિદ્રોહી તથા ત્રણ સૈનિકો માર્યા ગયા છે. અધિકારીઓએ આ માહિતી આપી છે.
19