સંબંધિત સમાચાર
- Bhavnagar News - ભાવનગરની સરટી હોસ્પિટલમાં મોડી રાત્રે ફાયરિંગઃ પ્રેમિકાને મળવા આવેલા પ્રેમીએ પતિ પર ગોળી છોડી
- અમદાવાદમાં પકવાન બ્રિજ પર અકસ્માતઃ ટ્રકનું ટાયર ફાટતાં પાછળથી આવી રહેલી બસ અથડાઈ
- પીએમ મોદી અન્ય રાજ્યમાં પેપરલીકની વાતો કરે છે પણ ગુજરાતમાં 24 વાર પેપર લિક થયા એનું કેમ કંઈ બોલતા નથીઃ શક્તિસિંહ ગોહિલ
- ગણેશ વિસર્જન શાંતિપુર્ણ રીતે થાય તે માટે સુરત શહેર પોલીસ સજ્જ ૧૫ હજાર જેટલા પોલીસ અધિકારી-જવાનો ખડેપગે ફરજ બજાવશે
- સુરતમાં ચાલુ ક્લાસમાં વિદ્યાર્થિનીનું મોત
Dehgam News - દહેગામમાં ગણેશ પંડાલમાં બુટલેગરે ગાડીથી તોડફોડ કરી, લોકો પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો
ganesh pandal
આજે ગણેશ વિસર્જનનો દિવસ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં ભગવાન ગણેશની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરના દહેગામમાં મોડી રાત્રે મારામારીની ઘટના સામે આવી છે. ડાયરાના કાર્યક્રમને લઈને પાર્કિંગ મામલે માથાકૂટ થતાં મામલો વધુ બિચક્યો હતો. ત્યાર બાદ ટોળાએ ગણેશ પંડાલ અને વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં પાંચેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું માલુમ પડ્યું છે.
દહેગામમાં સરદાર શોપિંગ સેન્ટરમાં આયોજિત ગણેશ પંડાલમાં મારામારી અને તોડફોડની ઘટના સામે આવી છે. બુધવારે રાત્રે અહીં તૈયાર કરાયેલા પંડાલમાં ડાયરાનું આયોજન કરાયું હતું. ડાયરો હોવાથી ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં. આ દરમિયાન બે યુવકો વચ્ચે ઘર્ષણ થયું હતું અને બાદમાં કેટલાક તોફાની તત્વોએ પંડાલમાં તોડફોડ કરીને ગાડીઓના કાચ તોડી નાંખ્યા હતાં. સૌથી મોટી વાત એ હતી કે ડાયરાના કાર્યક્રમમાં એક બુટલેગરે પોતાની ગાડી લોકો પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ગાડીથી પંડાલમાં તોડફોડ કરીને આખો મંડપ તોડી નાંખ્યો હતો. આ ઘટનામાં પોલીસે સ્થાનિક લોકોના નિવેદનો લઈને વધુ તપાસ હાથ ધરી છે.
