શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : બુધવાર, 7 ડિસેમ્બર 2022 (09:01 IST)

Datta Jayanti 2022 : આજે દત્તાત્રેય જયંતિ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને કથા

dutt katha
દર વર્ષે માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમા તિથિને દત્તાત્રેય જયંતી ઉજવાય છે. 
 
દર વર્ષે માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમાંના દિવસે દત્તાત્રેય જયંતિ ઉજવવામાં આવે છે. તેને દત્ત જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વખતે દત્તાત્રેય જયંતિ 18 ડિસેમ્બર શનિવારના રોજ આવી રહી છે. દત્તાત્રેયને ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દત્તાત્રેયે 24 ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. દત્તાત્રેયના નામે દત્ત સંપ્રદાયનો ઉદભવ થયો.
 
જો કે સમગ્ર દેશમાં દત્ત જયંતિનું ઘણું મહત્વ છે, પરંતુ દક્ષિણ ભારતમાં તેનું મહત્વ ઘણું વધારે છે કારણ કે ત્યાં ઘણા લોકો દત્ત સંપ્રદાય સાથે જોડાયેલા છે. એવું માનવામાં આવે છે કે ભગવાન દત્તાત્રેયની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ, વૈભવ વગેરેની પ્રાપ્તિ થાય છે. ભગવાન દત્તાત્રેય વિશે એવું કહેવામાં આવે છે કે જો તેમના ભક્તો સંકટની ઘડીમાં તેમને દિલથી યાદ કરે છે, તો તેઓ ચોક્કસપણે તેમની મદદ માટે પહોંચી જાય છે. અહીં જાણો દત્ત જયંતિ સાથે જોડાયેલી મહત્વની વાતો.
 
શુભ મુહુર્ત 
 
પૂર્ણિમા તિથિ શરૂ  - 18 ડિસેમ્બર શનિવાર સવારે 07.24 વાગ્યે શરૂ 
પૂર્ણિમા તિથિ સમાપ્ત - 19 ડિસેમ્બર રવિવાર સવારે 10.05 વાગ્યે સમાપ્ત 
 
દત્તાત્રેય જયંતી પૂજા વિધિ 
 
દત્તાત્રેય જયંતિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી, પૂજા સ્થાનને સાફ કરો અને ગંગાજળનો છંટકાવ કરો. આ પછી, એક પોસ્ટ મૂકો અને તેના પર એક સ્વચ્છ કપડું ફેલાવો અને તેના પર ભગવાન દત્તાત્રેયનું ચિત્ર સ્થાપિત કરો. આ પછી ભગવાન દત્તાત્રેયને ધૂપ, દીવો, રોલી, અક્ષત, ફૂલ વગેરે ચઢાવો. આ પછી ભગવાન દત્તાત્રેયની કથા વાંચો અને અંતે આરતી કરો અને પ્રસાદ વહેંચો.
દત્તાત્તેય કથા 
 
એકવાર માતા લક્ષ્મી, પાર્વતી અને સરસ્વતીને પોતાના પતિવ્રત્ય પર અત્યંત ગર્વ થઈ ગયો. ભગવાને તેમનો અહંકાર નષ્ટ કરવા માટે લીલા રચી. તેના મુજબ એક દિવસ નારદજી ફરતા ફરતા દેવલોક પહોંચ્યા અને ત્રણેય દેવીઓને વારાફરતી જઈને કહ્યુ કે ઋષિ અત્રિની પત્ની અનુસૂયાની સામે તમારુ સતીત્વ કશુ જ નથી.
 
ત્રણેય દેવીઓએ આ વાત પોતાના સ્વામીઓને જણાવી અને તેમને કહ્યુ કે તેઓ અનુસૂયાના પતિવ્રત્યની પરીક્ષા લે. ત્યારે ભગવાન શંકર, વિષ્ણુ અને બ્રહ્મા સાધુનો વેશ બનાવીને અત્રિ મુનિના આશ્રમમાં આવ્યા. મહર્ષિ અત્રિ એ સમયે આશ્રમમાં નહોતા. ત્રણેયએ દેવી અનુસૂયા પાસે ભિક્ષા માંગી અને એ પણ કહ્યુ કે તેમણે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપવી પડશે.
 
અનુસૂયા પહેલા તો આ સાંભળીને ચોંકી ગઈ. પણ પછી સાધુઓનુ અપમાન ન થાય એ વાતના ડરથી તેણે પોતાના પતિનું સ્મરણ કર્યુ અને કહ્યુ કે જો મારો પતિવ્રત ધર્મ સત્ય છે તો આ ત્રણેય સાધુ છ છ માસના શિશુ થઈ જાય.
 
આવુ બોલતા જ ત્રિદેવ બાળક બનીને રડવા લાગ્યા. ત્યારે અનુસૂયાએ માતા બનીને તેમને ખોળામાં લઈને સ્તનપાન કરાવ્યુ અને હિંચકામાં હિંચોવવા લાગી જ્યારે ત્રણેય દેવ પોતાના સ્થાન પર પરત ન ફર્યા તો દેવીઓ વ્યાકુળ થઈ ગઈ. ત્યારે નારદે ત્યા આવીને બધી વાત બતાવી. ત્રણેય દેવીઓ અનૂસૂઈયા પાસે ગઈ અને ક્ષમા માંગી. ત્યારે દેવી અનુસૂયાએ ત્રિદેવને પોતાના પૂર્વ રૂપમાં લાવી દીધા.
 
પ્રસન્ન થઈને ત્રિદેવે તેમને વરદાન આપ્યુ કે અમે ત્રણેય અમારા અંશથી તમારા ગર્ભમાં પુત્ર રૂપે જન્મ લઈશુ.
ત્યારે બ્રહ્માના અંશથી ચંદ્રમા, શંકરના અંશથી દુર્વાસા અને વિષ્ણુના અંશથી દત્તાત્રેયનો જન્મ થયો. કાર્તવીર્ય અર્જુન (કૃતવીર્યનો જયેષ્ઠ પુત્ર) ના દ્વારા શ્રીદત્તાત્રેયએ લાખો વર્ષ સુધી લોક કલ્યાણ કરાવ્યુ હતુ. કૃતવીર્ય હૈહયરાજના મૃત્યુ ઉપરાંત તેમના પુત્ર અર્જુનનો રાજ્યાભિષેક થવા પર ગર્ગ મુનિએ કહ્યુ હતુ કે તમારે શ્રીદત્તાત્રેયનો આશ્રય લેવો જોઈએ કારણ કે તેમના રૂપમાં વિષ્ણુએ અવતાર લીધો છે.
 
એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેય ગંગા સ્નાન માટે આવે છે તેથી ગંગા મૈયાના તટ પર દત્ત પાદુકાની પૂજા કરવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયની પૂજા મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે. તેમને ગુરૂના રૂપમાં પૂજવામાં આવે છે.
 
ગુજરાતના નર્મદામાં ભગવાન દત્તાત્રેયનુ મંદિર છે. જ્યા સતત 7 અઠવાડિયા સુધી ગોળ મગફળીનો પ્રસાદ અર્પિત કરવાથી બેરોજગારોને રોજગાર પ્રાપ્ત થાય છે.