શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: મંગળવાર, 22 ફેબ્રુઆરી 2022 (15:03 IST)

આ લોકો પર હંમેશા રહે છે મા લક્ષ્મીની કૃપા, બને છે અપાર ધન-સંપત્તિના માલિક

ધનની દેવી દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે લોકો અનેક પ્રકારના પ્રયત્નો કરે છે, પરંતુ કેટલાક લોકો તેમના જન્મના સમયથી જ દેવી લક્ષ્મીના આશીર્વાદ વરસાવવાનું શરૂ થઇ જાય છે. તેઓ જીવનભર અપાર ધન-સંપત્તિ ભોગવે છે. આવા ભાગ્યશાળી લોકોનો જન્મ ચોક્કસ તારીખે થાય છે. અંકશાસ્ત્ર અનુસાર, આ ભાગ્યશાળી લોકો 9 અંક સાથે હોય છે. એટલે કે કોઈપણ મહિનાની 9, 27 કે 18 તારીખે જન્મેલા લોકો પૈસાની દ્રષ્ટિએ ખૂબ જ ભાગ્યશાળી હોય છે.
 
આજીવન સર્જાતી નથી પૈસાની તંગી
મૂળાંક 9 ના જાતકોના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી. તેની પાસે હંમેશા અઢળક પૈસા હોય છે. તો બીજી તરફ તેઓ તેમના શબ્દોમાં મક્કમ હોય છે. જે કહી દે તેને નિભાવે છે . તેઓ નિશ્ચયપૂર્વક પડકારોનો સામનો કરે છે. મૂળાંક 9 નો સ્વામી મંગળ છે. જેના કારણે આ લોકોમાં બુદ્ધિમત્તાની સાથે સાથે ઘણી હિંમત પણ હોય છે.
 
રાજનીતિ અને વહીવટમાં મેળવે છે નામના
મૂળાંક 9 ના જાતકો માટે રાજનીતિ અને વહીવટી ક્ષેત્રે કામ કરવું ખૂબ જ સારું માનવામાં આવે છે. તેઓ આ ક્ષેત્રોમાં ઉચ્ચ સ્થાન મેળવે છે. જો તેઓ રાજકારણમાં રહે છે તો તેઓ સારા નેતા બને છે, જ્યારે વહીવટી સેવાઓમાં, તેઓ IAS, IPS, રેલવે વગેરેમાં પણ સારું પ્રદર્શન કરે છે. આ લોકો જોખમ લેવાથી ડરતા નથી.
 
ગુસ્સાવાળો સ્વભાવ હોય છે
જો કે મંગળના પ્રભાવને કારણે આ લોકો ક્રોધી સ્વભાવના હોય છે. આ કારણે, તેઓ તેમના જીવનસાથી અને ભાઈ-બહેનો સાથે સારી રીતે મેળ ખાતા નથી. તેમના લગ્નેતર સંબંધ હોવાની પણ શક્યતા છે.