1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 5 મે 2023 (10:43 IST)

Poonam Upay- ખાસ યોગ, આ ઉપાય કરવાથી દૂર થશે કુંડળી-દોષ

Poonam Upay in gujarati
- પૂનમના દિવસે પીપળાના ઝાડની પૂજાનુ વિશેષ મહત્વ હોય છે. પૂનમના દિવસે પીપળા પર જળ ચઢાવવાથી કુંડળીમાં અશુભ ગ્રહની છાયા ઓછી થાય છે અને પરેશાનીઓ ખતમ થાય છે. 
 
- વૈવાહિક જીવનને સુખમય અને સફળ બનાવવા માટે પૂનમની રાત્રે ચંદ્રમાને જળ આપો. આવુ કરવાથી વૈવાહિક જીવન લાંબુ ચાલે છે. 
 
- આ ઉપરાંત ધન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે પૂર્ણિમાની રાત્રે ચંદ્રના દર્શન પછી ચાંદીના લોટામાં દૂધ અને ચોખા નાખીને ચંદ્રમાને અર્ધ્ય અર્પિત કરો અને મનમાં ૐ સોમાય નમ: નો જાપ કરો. 
 
- પૂનમની રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને દક્ષિણાવર્તી શંખથી જળ અર્પિત કરો. 
 
- પૂનમના રોજ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરમાં શ્રીયંત્ર, કુબેર યંત્ર અને દક્ષિણાવર્તી શંખ લાવો અને તેની નિયમિત પૂજા કરો.