શુક્રવાર, 14 નવેમ્બર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 14 નવેમ્બર 2025 (09:00 IST)

આ 5 સંકેત મળતા બદલાય જાય છે ભાગ્ય, શરૂ થાય છે સારો સમય

signs of good times
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનની બધી પરેશાનીઓ દૂર થાય અને સારો સમય અવે. જો તમારી આ ઈચ્છા છે અને તમને વિશેષ સંકેત દેખાય રહ્યા છે તો સમજી જાવ કે તમારો સારો સમય જલ્દી શરૂ થવાનો છે. આજે અમે તમને આ સંકેતો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે સમય શરૂ થતા પહેલા તમને દેખાય શકે છે. આઅવો વિસ્તારથી જાણીએ આના વિશે. 
 
પક્ષીનો માળો 
જો તમારા ઘરમાં પક્ષી આવીને માળો બનાવી દે તો સમજી જાવ કે તમારો સારો સમય જલ્દી શરૂ થવાનો છે. તેને શુભ સંકેત માનવામાં આવે છે. તમારા ઘરમાં પક્ષીનો માળો બનાવવો આ વાતનુ પ્રતિક છે કે મા લક્ષ્મી ધન-ધાન્ય થી તમારો ખોળો ભરી દેશે.  પક્ષી દ્વારા બનાવેલ માળાને તમારે તોડવો ન જોઈએ, આવુ કરવાથી તમારા જીવનમાં પરેશાનીઓ ઉભી થઈ શકે છે. 
 
કાળી કીડીઓ ઘરમાં આવવી 
જો તમારા ઘરમાં કાળી કીડીઓ ભેગી થઈને કંઈક ખાતી દેખાય તો  તે એક શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તમે જીવનમાં પ્રગતિ કરશો અને તમારી બધી સમસ્યાઓનો ઉકેલ આવશે.
 
ઘુવડ દેખાવવુ 
ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે. તેથી, રાત્રે ઘુવડ જોવું એ એક શુભ સંકેત માનવામાં આવે છે. ખાસ કરીને, સફેદ ઘુવડ જોવું અત્યંત શુભ માનવામાં આવે છે. જ્યારે આવું થાય છે, ત્યારે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસે છે અને તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો આવે છે.
 
શંખનો અવાજ 
જો તમને સવારે કે સાંજે વારંવાર શંખનો અવાજ સંભળાય છે, તો સમજી લો કે ખરાબ સમયનો અંત આવવાનો છે. શંખનો અવાજ સાંભળવો કે ક્યાંક ફૂંકાય તેવો અનુભવ થવો એ અત્યંત શુભ માનવામાં આવે છે. આનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
 
ભોજન લઈ જતા કૂતરાને જોવો  
જો તમને રસ્તા પર કૂતરો રોટલી કે અન્ય કોઈ શાકાહારી ખોરાક લઈને જતો જુઓ છો, તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આનાથી ભવિષ્યમાં સકારાત્મક પરિણામો આવી શકે છે.