શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 11 મે 2022 (10:13 IST)

Morning Tips - સફળતા મેળવવા માટે, રોજ કરો આ 5 કામ મળશે ધન અને પ્રસિદ્ધી

hindu dharm
રોજ સવારે ઉઠીને ઈશ્વરની આરાધના કરવી જોઈએ. જ્યોતિષ મુજબ તે સિવાય એવા કામ છે જેને કરવાથી જીવનમાં ઘણી સમસ્યાઓથી બચી શકાય છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ દરરોજ કરાતા આ ઉપાય જીવનમાં દરેક કામમાં સફળતા અપાવે છે સાથે જ ધનથી સંકળાયેલી મુશ્કેલીઓ પણ દૂર થઈ જાય છે. આજે અમે તમને તે સાથ સંકળાયેલી વાત જણાવીશ.
 
રોજ સવારે ઉઠીને પહેલા કોગળા કર્યા પછી સૌથી પહેલા મધ ચાટવું જોઈએ. કહેવાય છે કે ત્યારબાદ જ નહાવું જોઈએ. ત્યારબાદ સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ.
 
*સવારે જ્યારે પણ ભોજન કરવું. પહેલા ઈશ્વરને હાથ જોડીને ધન્યવાદ કરો. ત્યારબાદ ભોજનના ત્રણ ટુકડા ગાય, પંખીઓ અને કૂતરાના નામના કાઢીને જ ભોજન કરો. આ ટુકડાને તેણે ખાવા માટે નાખો.
 
*રોજ સવારે રવિવારે મૂકીને પીપળના ઝાડને જળ ચઢાવવું જોઈએ. ઘરમાં ધંધામાં કોઈ પણ નવું કામ કરતા પહેલા ભગવાન ગણેશના નામ જરૂર લેવું.
 
*મંગળવારના દિવસે હનુમાનજીની ફોટા કે મૂર્તિ સામે પંચમુખી દીવો પ્રગટાવું જોઈએ.
 
*જો કોઈ મહત્વપૂર્ણ કાર્ય કે ધંધાથી સંકળાયેલી કોઈ ડીલ કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા થોડા પૈસા ભગવાન સામે કાઢીને રાખવા જોઈએ. કામ પૂરા થયા પછી તે
પૈસા કોઈ જરૂરિયાત માણસને આપવા જોઈએ.