શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 17 ડિસેમ્બર 2023 (14:10 IST)

Vivah Panchami: ભગવાન રામ અને માતા સીતાના લગ્નની વર્ષગાંઠ છે વિવાહ પંચમી, શા માટે નથી કરતા આ દિવસે લગ્ન

Vivah Panchami: માર્ગશીર્ષના શુક્લ પક્ષની પંચમી તિથિને વિવાહ પંચમી ઉજવાય છે. આ વખતે આ તિથિ 17 ડિસેમ્બરને પ પડી રહી છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન રામ અને માતા-સીતાન્ય લગ્ન થયો હતો. તેથી ઘણા વિચારે છે કે આ દિવસે લગ્ન જેવા મંગળ કાર્ય થતા હશે. પણ એવુ નથી આ તિથિને અશુભ ગણાય છે અને લોકો આ દિવસે લગ્ન નથી કરતા છે. આવો જાણીએ આ દિવસે લોકો લગ્ન શા માટે નથી કરતા. 
 
લગ્નની વર્ષગાંઠ 
પૌરાણિક માન્યતાઓ મુજબ માગશર મહિલાના શુકલ પક્ષની પંચમી તિથિના દિવસે ભગવાન રામ અને માતા સીતાનો લગ્ન થયો હતો. આ દિવસે વિવાહ પંચમીના નામથી ઓળખાય છે. આ દિવસે લોકો ભગવાન રામ અને માતા સીતાના લગ્નની વર્ષગાંઠના રૂપમાં ઉજવે છે. આ દિવસે લોકો ઘરોમાં ભગવાન રામ અને સીતાનુ વિધિ-વિધાનથી પૂજા કરે છે. 
 
લોકો નથી કરે છે લગ્ન 
હિંદુ ધર્મમાં રામ-સીતાની જોડીને આદર્શ પતિ-પત્ની માનવામાં આવે છે. લોકો તેમના આદર્શોના ઉદાહરણો આપે છે. લોકો રામ-સીતા જેવા નવા પરિણીત યુગલોની જોડી બની 
રહેવાના આશીર્વાદ પણ આપે છે. આમ છતાં લોકો આ તારીખે લગ્ન કરવાથી ડરે છે.
 
કારણ 
આ દિવસે લોકોના લગ્ન ન કરવાના પાછળ કારણ ભગવાન રામ અને માતા સીતાને મળ્યુ વનવાસ હતો. એવી માન્યતા છે કે આ તિથિને લગ્ન પછી જ બન્નેને 14 વર્ષના વનવાસ ભોગવુ પડ્યુ હતુ અને ઘણા બધા કષ્ટ ઉપાડવા પડ્યા હતા. તે પછી રાવણ સંહાર પછી બંને અયોધ્યા પાછા ફર્યા ત્યારે ભગવાન રામે માતા સીતાના દર્શન કર્યા.
 
છોડવું પડ્યું. આ કારણથી લોકો આ તારીખે લગ્ન કરવાથી ડરે છે.