3 રોટલી થાળીમાં એક સાથે કેમ ન પીરસવી જોઈએ ? આ છે અસલી કારણ
તમે પણ તમારા વડીલો પાસેથી સાંભળ્યુ હશે કે થાળીમાં એક સાથે 3 રોટલીઓ ન પીરસવી જોઈએ. પણ તેની પાછળનુ કારણ શુ છે ચાલો આ વિશે અમે તમને બતાવીએ.
ધાર્મિક માન્યતાઓ મુજબ થાળીમાં ત્રણ રોટલી મુકવાનો મતલભ મૃતકના ભોજન સમાન માનવામાં આવે છે. તેથી ત્રણ રોટલી એક સાથે પીરસવી જોઈએ નહી.
તેરમાના સંસ્કારમા મૃતક માટે જે ભોગ કાઢવામાં આવે છે તેમા અનેક સ્થાન પર 3 રોટલી મુકવામાં આવે છે. તેથી પણ થાળીમાં 3 રોટલી પીરસવી અશુભ માનવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં ખાવા-પીવાની વસ્તુઓમાં ત્રણની સંખ્યામાં ન તો કશુ આપવામાં આવે છે અને ન તો કશુ લેવામાં આવે છે.
કહેવાય છે કે 3 રોટલીઓ પીરસવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે અને પરિવારના લોકો બીમાર થવા શરૂ થઈ જાય છે.
અનેક માન્યતાઓ મુજબ થાળીમાં ત્રણ રોટલી એક સાથે મુકીને ખાવાથી વ્યક્તિના મનમાં બીજા લોકો પ્રત્યે શત્રુતાનો ભાવ ઉત્પન્ન થાય છે. તેનાથી વ્યક્તિની અંદર લડાઈ-ઝગડા કરવાની ભાવના અનેક ગણી વધી જાય છે