શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રથયાત્રા
Written By
Last Modified: મંગળવાર, 28 જૂન 2022 (12:41 IST)

Jagannath Rath Yatra 2022- જગન્નાથ યાત્રા શરૂ થવામાં આટલા જ દિવસ બાકી છે જાણો શેડ્યૂલ અને રોચક વાતોં

Jagannath Rath Yatra 2022 Date: વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા શરૂ થવામાં હવે થોડા જ દિવસ બાકી છે. ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી 3 કિલોમીટરની આ અલૌકિક યાત્રા શરૂ હોય છે અને પછી ભગવાન ગુડીચા મંદિરમાં 7 દિવસ આરામ કરે છે. 
 
Jagannath Rath yatra 2022 Schedule: આષાઢ મહીનાના શુક્લ પક્ષની દ્વિતીયા તિથિને ઓડિશાના પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવે છે. આ યાત્રા 1 જુલાઈ 2022 શુક્ર્તવારે કાઢવામાં આવશે. ભગવાન જગન્નાથ તેમની બેન સુભદ્રા અને ભાઈ બળભદ્રની સાથે 3 અલૌકિક સુંદર રથમાં સવાર થઈ તેમની 
 
માસીના ઘરના ગુંડીચા મંદિર જાય છે અને પછી 7 દિવસ સુધી અહીં આરામ કરે છે. જગન્નાથ રથ યાત્રામાં શામેલ થવા માટે દેશ દુનિયાથી લોકો પુરી જાય છે ભગવાન 
 
જગન્નાથ ભગવાન વિષ્ણુના મુખ્ય અવતારમાંથી એક છે. 
 
જગન્નાથ રથયાત્રા 2022 શેડ્યુલ 
01 જુલાઈ 2022મે જગન્નાથ મંદિરથી રથા યાત્રા શરૂ થશે અને ગુંડીચા મૌસીના ઘર ગુંડિચા મંદિરની તરફ પ્રસ્થાન કરશે. ત્યારબાદ ભગવાન જગન્નાથ 7 દિવસ સુધી અહીં 
 
આરામ કરશે. 
08 જુલાઈ 2022ને ભગવાન જગન્નાથ સંધ્યા દર્શન આપશે. માન્યતા છે કે આ દિવસે ભગવાન જગ્ન્નાથના દર્શન કરવાથી 10 વર્ષ સુધી શ્રીહરિની પૂજા કરવાનો જેટ્લો પુણ્ય 
 
મળે છે. 
 
09 જુલાઈ 2022ને બહુદા યાત્રા નિકળશે. તેમાં ભગવાન જગ્ન્નાથ ભાઈ બળભદ્ર અને બેન સુભદ્રાની સાથે ઘર પરત ફરશે. 
 
10 જુલાઈ 2022 ને સુનાબેસા થશે. એટલે કે જગન્નાથ મંદિર પરત આવ્યા પછી ભગવાન તેમના ભાઈ-બેનની સાથે ફરી શાહી રૂપ લેશે. 
 
11 જુલાઈ 2022ને આધારપના થશે એટલે કે રથયાત્રાના ત્રણે રથને દૂધ, ચીઝ, ખાંડ અને સૂકા મેવાથી બનેલું ખાસ પીણું અર્પણ કરવામાં આવે છે.
 
રથથી સંકળાયેલા રોચક તથ્ય 
અક્ષય તૃતીયાથી જગન્નાથ રથયાત્રાના ત્રણેય રથોના નિર્માણ શરૂ હોય છે તેના માટે વસંત પંચમીથી લાકડીનો સંગ્રહ શરૂ થઈ જાય છે.આ રથને બનાવવા માટે લાકડીનો એક ખાસ જંગલ દશપલ્લાથી એકત્ર કરાય છે. આ રથ માત્ર શ્રીમંદિરના સુથારો જ બનાવે છે.