સંબંધિત સમાચાર
- Ram Vanvas: પોતાના 14 વર્ષના વનવાસમાં શ્રીરામ અને સીતા ક્યા-ક્યા રોકાયા, ભારતના આ સ્થાન પર લક્ષ્મણે કાપ્યુ હતુ શૂર્પણખાનુ નાક
- Ramayan- રામાયણના 10 વિચારો જે તમને હંમેશા બીજા કરતા આગળ રાખશે
- HBD રામાયણ ના 'રામ' : અયોધ્યામાં ખાસ મેહમાન છે 'રામ', જાણો તેમના જીવનની રોચક વાતો
- Ayodhya Ram Mandir: પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી ? જાણો આનુ ખાસ કારણ
- ટ્રેડ શોમાં ભારતીય પોસ્ટના પેવેલિયનમાં ‘ફિલાટેલીક’ સ્ટેમ્પ્સમાં રામાયણના પ્રસંગોનું કલેક્શન
Facts about Lakshman's Wife Urmila - લક્ષ્મણજીની પત્ની ઉર્મિલાએ પતિ વગર કેવી રીતે વિતાવ્યા 14 વર્ષ ?
મહર્ષિ વાલ્મીકિની રામાયણમાં ભગવાન રામ, માતા સીતા, ભાઈ લક્ષ્મણ અને રામ ભક્ત હનુમાન જેવા પાત્રોની બહાદુરી વિશે તમે ઘણું સાંભળ્યું હશે. જેમાં તેણે 14 વર્ષ સુધી જંગલોમાં કઠોર તપસ્યા કરી, પરંતુ શું તમે જાણો છો કે રામાયણમાં એક એવું પાત્ર હતું જેના બલિદાનની ચર્ચા ભાગ્યે જ થાય છે. દક્ષિણ ભારતની રામ-કથામાં લક્ષ્મણની પત્ની ઉર્મિલાના બલિદાન અને ત્યાગ વિશે માહિતી આપવામાં આવી છે.
દક્ષિણ ભારતની રામ કથા અનુસાર, જ્યારે ભગવાન રામને વનવાસ મળ્યો, ત્યારે ભગવાન રામ, માતા સીતા અને લક્ષ્મણ વનવાસ તરફ જવા લાગ્યા, ત્યારે ઉર્મિલાએ પણ તેમની સાથે જવાનું કહ્યું, પરંતુ લક્ષ્મણે તેમને અયોધ્યામાં રહેવાનો આદેશ આપ્યો
સૌથી મુશ્કેલ સમયમાં પણ ઉર્મિલાની આંખોમાંથી આંસુનું એક ટીપું પણ પડ્યું નહોતું, પછી તે લક્ષ્મણના વનવાસનો પ્રસંગ હોય કે પછી રાજા દશરથના મૃત્યુનો પ્રસંગ હોય.
વનવાસની પહેલી જ રાત્રે જ્યારે રામ અને સીતા સૂઈ ગયા ત્યારે લક્ષ્મણ તેમની રખેવાળી કરી રહ્યા હતા. થોડા સમય પછી નિદ્રા દેવીએ લક્ષ્મણને સૂઈ જવા કહ્યું, પરંતુ લક્ષ્મણે ઊંઘવાની ના પાડી દીધી કારણ કે તેમણે 14 વર્ષ સુધી ઊંઘ્યા વિના રામ અને સીતાની રક્ષા કરવાનું વચન આપ્યું હતું.
દક્ષિણ ભારતની રામ કથા અનુસાર, લક્ષ્મણે પછી નિદ્રા દેવીને વિનંતી કરી કે તેઓ જઈને ઉર્મિલાને તેમના ભાગની નિદ્રા આપે. જ્યારે નિદ્રા દેવીએ ઉર્મિલાને આ વાત કહી તો તે તરત જ સહેમત થઈ ગઈ. આ રીતે ઉર્મિલા 14 વર્ષ સુધી રાત-દિવસ સૂતી રહી અને લક્ષ્મણ રામ અને સીતાની સેવા કરતા રહ્યા, આ રીતે ઉર્મિલાએ પોતાનો પતિ ધર્મ નિભાવ્યો.
