શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા વિશેષ
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 5 નવેમ્બર 2019 (16:53 IST)

અયોધ્યા વિવાદ - સુપ્રીમ કોર્ટનો નિર્ણય, મધ્યસ્થતાથી ઉકેલવામાં આવે રામ મંદિર મામલો

અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદને ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે શુક્રવારે મધ્યસ્થતા દ્વારા ઉકેલવાનો આદેશ આપ્યો. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સંવિધાન પીઠે અહી આદેશ આપ્યો.  મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની સંવિઘાન પીઠે અહી આદેશ રજુ કર્યો કે અયોધ્યા વિવાદનો નિપટારો મધ્યસ્થતા દ્વારા ઉકેલવામાં આવશે.   સંવિધાન પીઠે બુધવારે વૃહદ સુનાવણી પછી આ નિર્ણય સુરક્ષિત મુકવામાં આવ્યો છે. 
ઉલ્લેખનીય છે કે સંવિધાન પીઠ સમક્ષ અધ્યક્ષતાના મુદ્દા પર આવતીકાલે સુનાવણી થઈ હતી.  જેમા બંને હિન્દુ પક્ષકારો નિર્મોહી અખાડા અને રામલલ્લા વિરાજમાનના વકીલોએ આ વિવાદને મધ્યસ્થતા દ્વારા ઉકેલવાનો પ્રયાસનો વિરોધ કર્યો હતો. તેમનુ કહેવુ હતુ કે આ મુદ્દો સંપૂર્ણ રીતે ભૂમિ વિવાદ પર છે અને તેની મધ્યસ્થતાના દ્વારા નહી ઉકેલવો જોઈએ. મુસ્લિમ પક્ષકારની તરફથી રજુ વરિષ્ઠ અધિવક્તા રાજીવ ધવનના જો કે મધ્યસ્થતાનો વિરોધ નહોતો કર્યો. 
ટોચના કોર્ટે હિન્દુ પક્ષકારો તરફથી મધ્યસ્થતાથી ઈંકાર કરવામાં આવવા પર અશ્ચર્ય બતાવ્યુ હતુ. ન્યાયાલયે કહ્યુ હતુ કે અતીત પર તેનો કોઈ વશ નથી. પણ આ સારા ભવિષ્યની કોશિશ જરૂર કરી શકે છે. સંવિધાન પીઠે ત્યારબાદ જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો કે અયોધ્યા વિવાદનો નિપટારો મધ્યસ્થતા દ્વારા હોય કે નહી.   સંવિધાન પીઠે ન્યાયમૂર્તિ ગોગોઈના ઉપરાંત, ન્યાયમૂર્તિ એસ.એ બાબડે, ન્યાયમૂર્તિ, અશોક ભૂષણ, ન્યાયમૂતિ ડી વાઈ ચંદ્દચૂડ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીર સામેલ છે.