શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (18:34 IST)

'ગોડસે અને સાવરકર વચ્ચે સમલૈંગિક સંબંધ હતા' - કૉંગ્રેસ સેવાદળના પુસ્તકમાં છપાયું

એનડીટીવી ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસ સેવાદળ દ્વારા વિતરણ કરાયેલા પુસ્તક અંગે વિવાદ સર્જાયો છે.
 
'વીર સાવરકર કેટલા વીર' નામના પુસ્તકનું ભોપાલમાં આયોજિત 10 દિવસીય ટ્રેનિંગ કૅમ્પમાં વિતરણ કરવામાં આવ્યું હતું.
 
એમાં મહાત્મા ગાંધીની હત્યા, ગોડસે અને સાવરકર વિશે ઉલ્લેખ છે.
 
આ પુસ્તકમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગોડસે અને સાવરકર વચ્ચે સમલૈંગિક સંબંધ હતા.
 
પુસ્તકમાં ડૉમિનિક લૅપિએર અને લૅરી કૉલિનના પુસ્તક 'ફ્રીડમ એટ મિડનાઇટ'નો ઉલ્લેખ કરીને લખ્યું છે, "બ્રહ્મચર્ય ધારણ કર્યું એ પહેલાંના ગોડસેના એક જ શારીરિક સંબંધનું એક જ વર્ણન મળે છે."
 
"આ સંબંધ સમલૈંગિક હતો. તેમના પાર્ટનર તેમના ગુરુ વીર સાવરકર હતા. સાવરકર લઘુમતીની મહિલાઓનો બળાત્કાર કરવા માટે લોકોને ઉત્તેજિત કરતા હતા."