ગુરુવાર, 24 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: રવિવાર, 5 ડિસેમ્બર 2021 (18:24 IST)

ઘરેલુ ઝઘડાથી કંટાળીને માતાએ 5 દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું, મહિલાએ ભર્યું પગલું

રાજસ્થાનના કોટામાં ઘરેલુ ઝઘડાથી કંટાળીને માતાએ પાંચ દીકરીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું, મહિલાએ ભર્યું પગલું
 
ઘરેલું ઝઘડાથી પરેશાન મહિલાએ કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. તેણીએ તેની પાંચ પુત્રીઓ સાથે કૂવામાં પણ ઝંપલાવ્યું હતું. કહેવાય છે કે મહિલા દરરોજ તેના પતિ સાથે ઝઘડો કરતી હતી. જેનાથી કંટાળીને મહિલાએ આ આપઘાતનું પગલું ભર્યું હતું. ઘટના રાજસ્થાનના કોટાની છે.
 
 
પતિ બહાર ગયો
મળતી માહિતી મુજબ, કાલિયાખેડી કોટાના બંજારોનું ગામ છે. દૈનિક ભાસ્કરના જણાવ્યા અનુસાર, અહીં રહેતા શિવલાલની પત્ની બદામી દેવીનો તેની સાથે અવારનવાર ઝઘડો થતો હતો. તેનાથી કંટાળીને બદામી દેવીએ પોતાનો જીવ આપવાનું નક્કી કર્યું. શિવલાલના કહેવા મુજબ તે ઘટનાના દિવસે બપોરે 12 વાગ્યે ઘરની બહાર ગયો હતો. સાંજે પણ તે પરત આવ્યો ન હતો. રાત્રે તેની પત્નીએ આપઘાત કરી લીધો હતો. કહેવાય છે કે જ્યારે બદામી દેવીએ કૂવામાં ઝંપલાવ્યું ત્યારે તેની બે દીકરીઓ 14 વર્ષની અંજલિ અને 7 વર્ષની પૂનમ ઘરની બહાર હતી. જેના કારણે બંનેનો જીવ બચી ગયો હતો.
 
પોલીસ તપાસમાં વ્યસ્ત
બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પછી, મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં મહિલાએ ઘરેલુ વિવાદથી કંટાળીને આ પગલું ભર્યું છે. પોલીસ આ મામલે ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ પછી જ આ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવશે. હાલ આ ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છે.