મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુતહેવારો
Written By
Last Updated : સોમવાર, 29 જાન્યુઆરી 2024 (08:10 IST)

Sakat Chauth: ગણેશજીના આ વ્રતથી સકટ માતા હોય છે પ્રસન્ન, જાણો વ્રતની પૂજા, વિધિ અને મહત્વ

Sakat Chauth 2024: સંકટ ચોથ પુત્રના જીવનને સંકટને દૂર કરી લાંબી ઉમ્રની કામનાની સાથે ( સંકટ ચોથ ) સંકષ્ટી ગણેશ ચતુર્થીનુ પર્વ માઘ મહીનાના કૃષ્ન પક્ષમાં ઉજવાય છે. જે આ સમયે 29 જાન્યુઆરીના દિવસે સોમવારે થશે. આ દિવસે મહિલાઓ સંકટ હરણ ગણેશજીનુ પૂજન કરી તેમની સંતાનથી કષ્ટને દૂર રાખવા, આરોગ્ય અને દીર્ઘ જીવનની કામના કરે છે. પૂજનમાં દૂર્વા, શમી પાન, ગોળ અને તલના લાડુ ચઢાવાય છે. માતાઓ દિવસ ભર નિર્જલા વ્રત રાખીને સાંજે ચંદ્રોદયના સમયે તલ ગોળ વગેરેથી ચંદ્રમાને અર્ધ્ય આઆપ્યા પછી વ્રતને પૂર્ણ કરે છે. 
 
વ્રત વિધિ
 લાકડીના બાજોટ પર માટીની ગણેશ રૂપમાં રાખી પૂજન કરાય છે. ક્યાં ક્યાં મહિલાઓ લોટના ગણેશજી બનવીને હળદર કંકુથી પૂજન કરે છે. આ અવસર પર એક થાળીમાં તિલકૂટ બનાવવામાં આવે છે.  આ સાથે મીઠા પૂઆ પણ બનાવવામાં આવે છે અને રાખવામાં આવે છે. ગણપતિની પૂજા કર્યા પછી બાળકના કપાળ પર તિલક લગાવવામાં આવે છે. પાછળથી એ જ છોકરો દુર્વા ઘાસમાંથી તિલકૂટમાંથી બનેલી બકરીને ગળાથી કાપી નાખે છે. આ પ્રસંગે સકત ચતુર્થીની કથા સાંભળીને મહિલાઓ ચંદ્રદેવને જળ અર્પણ કર્યા બાદ સૌપ્રથમ તેમની સાસુ પાસે જાય છે અને પછી તે અન્ય લોકોને પુયા અને તિલકૂટ પ્રસાદ આપે છે.

પુત્ર પ્રાપ્તિ માટે આ વ્રત 
જે વર્ષે નવપરિણીત સ્ત્રીને પુત્ર પ્રાપ્ત થાય છે, તે જ વર્ષે આવનારી સંકટ ચોથના દિવસે તે પોતાના પુત્રની સફળતા અને લાંબા આયુષ્યની કામના સાથે આ વ્રત કરવાનું શરૂ કરે છે. જે વર્ષે છોકરાના લગ્ન થાય છે તે વર્ષે પણ આ વ્રત રાખવામાં આવે છે. જેમાં ગોળ સાથે 1.25 કિલો તલની પૂજા કર્યા બાદ આડોશ-પાડોશમાં પ્રસાદ વહેંચવામાં આવે છે.