સંબંધિત સમાચાર
- સુરતમાં બે બહેનોએ છેલ્લી વાર મતદાન કર્યું, હવે દિક્ષાર્થી બનશે
- અત્યાર સુઘીમાં 32 ટકા મતદાન નોંધાયું, સૌથી વધુ મોરબીમાં 39 ટકા મતદાન
- પ્રથમ તબક્કાની ચુંટણીમાં છેલ્લાં ત્રણ કલાકમાં ૧૮ ટકા મતદાન નોધાયું
- Gujarat Election - પ્રથમ ચરણનું મતદાન પુરૂ.. 65 ટકા મતદાન... 977 ઉમેદવારોનુ ભાવિ થયુ સીલ
- સુરતમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, લોકોએ જુસ્સા સાથે લાઈન લગાવીને કર્યું મતદાન
મત આપવો તે પણ એક ધર્મ છે- સુરતના ગુરૂકુળના સંતોએ કર્યું મતદાન
ગુજરાતમાં મહત્વનું કહી શકાય એવું ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે ત્યારે સંતોએ પણ મતદાન કરીને ચૂંટણી પર્વનો લ્હાવો લીધો હતો. હંમેશા મંદિરોમાં લોકો પાસે શ્રદ્ધાથી અને ભક્તિથી ગુરૂદક્ષિણા માટે દાન માંગતાં સંતો આજે દાન કરવા નિકળ્યાં હતાં. વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સુરતના શ્રી પ્રભુ સ્વામી ૧૫ જેટલા સંતો સાથે અંગત અને તે પણ ગુપ્તદાન કરવા નાજાવડ ગામ ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં લાઇનમાં ઉભા રહી સુરત કતારગામ વિધાનસભા-૧૬૬માં કિંમતી મતનં દાન કરી રાષ્ટ્રભકિત અદા કરી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, શાસન રાજધર્મ છે તો મત આપવો તે આપણો ધર્મ છે. તેમ પ્રભુસ્વામી જણાવે છે.

