શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 20 જુલાઈ 2023 (08:25 IST)

Indian Railways: રેલવે મુસાફરો માટે ખુશખબર, હવે માત્ર 20 રૂપિયામાં મળશે ભોજન

IRCTC Economy Meals:રેલવેએ નવી યોજના શરૂ કરવાની યોજના બનાવી છે. ટૂંક સમયમાં જ રેલવે સ્ટેશનો પર માત્ર 20 રૂપિયામાં ભરપેટ ભોજન મળશે.  આ સાથે તમે ઢોસા, પાવભાજી અને છોલે ભટુરે પણ ચાખી શકશો.
 
ભારતીય રેલ્વે IRCTC ભોજન: રેલ્વે મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હવે રેલ્વે સામાન્ય બોગીમાં મુસાફરી કરતા મુસાફરોને ખૂબ જ સસ્તા ભાવે સંપૂર્ણ ભોજન આપશે. રેલવેની આ નવી યોજના દેશના તમામ રેલવે સ્ટેશનો પર શરૂ કરવાની યોજના છે. જો કે, તેને અમુક જગ્યાએ જ ટ્રાયલ તરીકે શરૂ કરવાની યોજના છે.
 
માત્ર 20 રૂપિયામાં ભોજન મળશે
ઘણીવાર એવું જોવા મળે છે કે જનરલ કોચમાં મુસાફરી કરતા મુસાફરોને ખાવા-પીવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. વસ્તુઓ સરળતાથી ન મળવાને કારણે તેમને શુદ્ધ ભોજન મળતું નથી. આવી સ્થિતિમાં રેલ્વેએ સસ્તું ભોજન અને પાણી આપવાની યોજના બનાવી છે. મુસાફરોને માત્ર રૂ.20માં સંપૂર્ણ ભોજન મળશે. 20 રૂપિયામાં મુસાફરોને "ઇકોનોમી ફૂડ" મળશે, જેમાં સાત પુરીઓ, બટેટાનું શાક અને અથાણું હશે.

64 સ્ટેશનો પર સસ્તું ભોજન મળશે
ભારતીય રેલવેએ આ યોજના શરૂ કરવા માટે 64 રેલવે સ્ટેશન પસંદ કર્યા છે. પહેલા તેને છ મહિના સુધી આ રેલવે સ્ટેશનો પર શરૂ કરવામાં આવશે. બાદમાં તેને અન્ય રેલવે સ્ટેશનો પર શરૂ કરવામાં આવશે. પૂર્વ ઝોનમાં 29 સ્ટેશન, ઉત્તર ઝોનમાં 10 સ્ટેશન, દક્ષિણ મધ્ય ઝોનમાં 3 સ્ટેશન, દક્ષિણ ઝોનમાં 9 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યાં સસ્તું ભોજન ઉપલબ્ધ થશે.

Edited By-Monica Sahu