ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી નિબંધ
Written By
Last Updated : ગુરુવાર, 25 માર્ચ 2021 (12:24 IST)

ગુજરાતીમાં નિબંધ- કોરોના વાયરસ

પ્રસ્તાવના: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ કોરોના વાયરસને રોગચાળો જાહેર કર્યો છે. કોરોના વાયરસ ખૂબ સૂક્ષ્મ પરંતુ અસરકારક વાયરસ છે. કોરોના વાયરસ માનવ વાળ કરતા 
 
900 ગણો નાનો છે, પરંતુ કોરોનાનું સંક્રમણ વિશ્વભરમાં ફેલાય ગયુ છે.
 
* કોરોનાવાયરસ એટલે શું ?
કોરોના વાયરસ (સીઓવી) એ વાયરસની એવી પ્રજાતિ સાથે સંકળાયેલ છે, જેનો સંક્રમણથી
શરદીથી માંડીને શ્વાસ લેવામાં તકલીફ સુધીની સમસ્યાઓનું કારણ બની શકે છે. આ વાયરસ પહેલાં કદી જોવા મળ્યો નથી.
ડિસેમ્બરમાં ચીનના વુહાનમાં વાયરસનું સંક્રમણ શરૂ થયુ હતુ. ડબ્લ્યુએચઓ મુજબ, તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ એ તેના લક્ષણો છે. હજી સુધી વાયરસના ફેલાતો રોકવા માટે કોઈ વેક્સીન 
 
બની નથી પરંતુ ભારત સહિત દુનિયાના તમામ વૈજ્ઞાનિકો તેની શોધ માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે અને એક દિવસ આ વેક્સીન પણ તૈયાર થઈ જશે.
 
તેના સંક્રમણના ફળ સ્વરૂપ
વાઇરસની સીધી અસર ફેફસાં ઉપર થાય છે. તેનાં મુખ્ય બે લક્ષણો છે તાવ તથા સતત ખાંસી થવી. ઘણી વખત દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોરોના વાઇરસને કારણે અસામાન્યપણે 
 
ઉધરસ આવી શકે છે. આવી ઉધરસ 24 કલાકમાં ત્રણ કે તેથી વધુ વખત આવતી હોય છે, જો ખાંસીની સાથે ગળફો આવે તો તે ગંભીર લક્ષણ છે.
 
આ વાયરસ એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે. તેથી તેને લઈને ખૂબ કાળજી લેવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનામાં ચીનમાં પ્રથમ વખત વાયરસનો પ્રભાવ થયો હતો. પછી તે અન્ય દેશોમાં 
 
ફેલાયો હતો.
 
કોરોના જેવા વાયરસ, ઉધરસ અને છીંકથી પડતા ટીપાં દ્વારા ફેલાય છે. કોરોના વાયરસ હવે ચીનમાં એટલો ઝડપથી નથી ફેલાય રહ્યો જેટલા ઝડપથી
તે વિશ્વના અન્ય દેશોમાં ફેલાય રહ્યો છે. કોવિડ 19 નામનો વાયરસ અત્યાર સુધી 70 થી વધુ દેશોમાં ફેલાયો છે. કોરોના સંક્રમણના વધતા જોખમને કારણે, તેને ફેલાતો અટકાવવા માટે સાવચેતી 
 
રાખવી જરૂરી છે.
* આ રોગનાં લક્ષણો શું છે?
 
કોવોઇડ -19 / કોરોના વાયરસમાં પ્રથમ તાવ આવે છે. આ પછી સુકા ખાંસી થાય છે અને પછી એક અઠવાડિયા પછી શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
 
આ લક્ષણોનો હંમેશાં અર્થ એ નથી હોતો કે તમને કોરોના વાયરસનુ સંક્રમણ
છે. કોરોના વાયરસ, ન્યુમોનિયા, શ્વાસ લેવાની વધુ પડતી તકલીફ
કિડની ખરાબ થવી અને મૃત્યુ પણ થઈ શકે છે
વૃદ્ધ લોકો અથવા જેમને પહેલાથી જ અસ્થમા, ડાયાબિટીઝ અથવા હૃદય રોગની બીમારી છે તેમના મામલામાં જોખમ ગંભીર હોઈ શકે છે. શરદી અને ફલૂના વાયરસમાં પણ આ જ પ્રકારના લક્ષણ 
 
જોવા મળે છે.
 
* જ્યારે કોરોના વાયરસનું સંક્રમણ થાય તો ?
 
- હાલ કોરોના વાયરસનો કોઈ ઈલાજ નથી પરંતુ રોગના લક્ષણો ઘટાડતી દવાઓ આપી શકાય છે.
- જ્યાં સુધી તમે સ્વસ્થ ન થઈ જાવ ત્યા સુધી બધાથી દૂર રહો
- કોરોના વાયરસની સારવાર માટે વેક્સીન શોધવાનુ કામ ચાલી રહ્યું છે.
- આ વર્ષના અંત સુધીમાં તેનું માનવ પરીક્ષણ કરવામાં આવશે.
- કેટલીક હોસ્પિટલો એન્ટિવાયરલ દવાઓની પણ તપાસ કરી રહી છે.
* કોરોનાથી બચવાના ઉપાય શું છે?