ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 25 જૂન 2022 (15:29 IST)

જાણો ડાયાબીટીસના દર્દીઓ કયા કયા ફળોનું સેવન કરી શકે છે

તબીબો કહે છે મે ડાયાબીટીસના દર્દીઓ પણ ફળોનું સેવન કરી શકે છે. પરંતુ માત્રા સાચી હોવી જોઇએ. જોકે ડાયાબીટીસના દર્દીઓએ કેળા, ચીકુ અને કસ્ટાર્ડ એપલ જેવા ફળોથી દૂર રહેવું જોઇએ અને રેસાવાળા ફળો જેમ કે તરબુચ, પપૈયુ, સફરજન અને સ્ટ્રો બેરી વગેરે ખાવા જોઇએ. આ ફળોથી લોહીમાં શર્કરાનું સ્તકર નિયંત્રિત થાય છે. એટલે આવા ફળો ખાવાથી કોઇ સમસ્યા થતી નથી. ડાયાબીટીસના દર્દીઓએ નીચે જણાવેલા ફળો ખાવા...
 
આંબળાઃ આંબળામાં વિટામિન-સી અને ફાઇબર હોય છે. જે ડાયાબીટીસના દર્દીઓ માટે સારા ગણાય છે.
 
ફણસઃ આ ફળ ઇન્યુલિનના સ્તયરને ઘટાડે છે. કારણ કે આમાં વિટામિન-એ અને સી,થાયમિન, રાઇબોફલેવિન, નિયાસિન, કેલ્શિાયમ, મેગ્નેશિયમ અને અન્યદ પૌષ્ટિાક તત્વે હોય છે.
 
શક્કરટેટી: આમાં ગ્લાથઇસિમિક ઇન્ડેેક્ષ વધુ હોવા છતાં પણ ફાઇબરની માત્રા સારી હોય છે. આથી આને યોગ્ય માત્રામાં ખાવાથી ફાયદાકારક રહે છે.
 
દાડમઃ દાડમ પણ વધેલા બ્લફડ શુગર સ્તછરને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
 
દ્રાક્ષઃ દ્રાક્ષ ડાયાબીટીસના એક મહત્વગના કારક મેટાબોલિક સિન્ડ્રોૂમના જોખમથી બચાવે છે.
 
તરબૂચઃ તરબૂચને જો પૂરતી માત્રામાં ખાવામાં આવે તો ડાયાબીટીસના દર્દીઓ માટે બહુ સારું સાબિત થાય છે.
 
સંતરાઃ આ ફળને રોજ ખાવાથી વિટામિન-સીની માત્રા વધે છે અને ડાયાબીટીસથી છૂટકારો મેળવવામાં મદદ મળે છે.
 
અંજીરઃ આમાં રહેલા રેસા ડાયાબીટીસના દર્દીઓના શરીરમાં ઇન્યુે અ લિનના કાર્યને પ્રોત્સાિહન આપે છે.
 
નાસપતીઃ આમાં ઘણું બધું ફાઇબર અને વિટામિન હોય છે જે ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
 
અનાનસઃ આ ફળમાં એન્ટીુ બેક્ટી્રિયલ તત્વા હોવાની સાથે શરીરનો સોજો ઉતારવાની પણ ક્ષમતા હોય છે.
 
સફરજનઃ સફરજનમાં એન્ટીંઓક્સીટડેન્ટિ હોય છે જે કોલેસ્ટ્રોશલ ઘટાડે છે અને રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે.
 
પીચઃ આ ફળમાં પણ જી.આઇ. બહુ ઓછી માત્રામાં મળી આવે છે. અને ડાયાબીટીસના દર્દીઓ માટે ઠીક માનવામાં આવે છે.
 
જામફળઃ જામફળમાં વિટામિન-એ અને સી ઉપરાંત ફાઇબર પણ હોય છે તેથી આને ડાયાબીટીસના દર્દીઓ માટે સારું ગણાય છે.
 
બ્લેકબેરીઃ ડાયાબીટીસના દર્દીઓ માટે આ ફળ બહુ જ લાભદાયક છે. જાબુંડાના બીને પીસીને ખાવાથી ડાયાબીટીસી કન્ટ્રો લમાં રહે છે.