કોલંબિયામાં વિસ્ફોટ છના મોત
કોલંબિયાના પૈસિફિક પોર્ટ ઓફ બુઈનાવેંતુરામાં ગઈકાલે પ્રશાસનિક કેન્દ્રમાં એક કાર બોમ્બ વિસ્ફોટમાં છ લોકોના મોત થઈ ગયા અને 30થી વધુ ઘાયલ થઈ ગયા. અત્યાર સુધી કોઈએ આ હુમલાની જવાબદારી નથી લીધી, પરંતુ સૈન્ય પ્રમુખ જનરલ ફ્રેંડી પડિલાએ જણાવ્યુ કે કોલંબિયાના મુખ્ય વામપંથી વિદ્રોહી સમૂહ તેની પાછળ હોઈ શકે છે. પ્રાંતીય ગવર્નર જ્યૂઆન કાલરેસ અબાદિયાએ જણવ્યુ કે કાર રાત્ર દરમિયાન લાવારિસ હાલતમાં પડી હતી અને આ વિસ્ફોટમાં છ લોકોના મોત થઈ ગયા. 32 અન્ય ઘાયલ થઈ ગયા, જેમાં કેટલાકની હાલત ગંભીર છે