Last Modified: ખાર્તુમ , બુધવાર, 27 ઑગસ્ટ 2008 (11:17 IST)
સુડાનનું અપહ્યત વિમાનનું લીબિયામાં ઉતરાણ
સુડાનનાં યુધ્ધથી પ્રભાવિત એવા દાર્ફુર ક્ષેત્રમાં થોડા સમય પહેલાં અપહરણ કરાયેલ યાત્રી વિમાનને લીબિયામાં ઉતારવામાં આવ્યું છે. અજ્ઞાત લોકો દ્વારા અપહરણ કરાયેલા વિમાનમાં 100થી વધુ લોકો સવાર છે.
એયરલાઈન અધિકારીઓએ જણાવ્યું હતું કે એયર બોઈંગ 737ને ભારતીય સમય પ્રમાણે સાંજે 6.10 વાગે નયાલાથી દાર્ફુર માટે ઉડાનભરી હતી. વિમાનની ઉડાનભર્યાની વીસ મિનીટ બાદ પાયલોટે નયાલા ફોન કરીને વિમાનનું અપહરણ થયું હોવાની જાણ કરી હતી. તેમજ વિમાનને લિબીયાનાં ટ્રીપોલીનાં માર્ગે લઈ જવાય છે, તેમ જણાવ્યું હતું.
એયરલાઈન કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે વિમાનમાં ઈંધણ પુરૂ થવાની તૈયારી હતી, તેથી તેને ટ્રીપોલી તરફ લઈ જવાઈ રહ્યું છે. તેમજ આ વિમાન કોણે અપહરણ કર્યું છે, તે અંગે તેમની પાસે કોઈ માહિતી નથી. આ વિમાનમાં 95 મુસાફરો અને ક્રુ નાં સાત સભ્યો છે. તો એયરલાઈનાં જણાવ્યું હતું કે પહેલાં જણાવ્યું હતું કે વિમાનમાં 87 યાત્રી છે.