26/11ના આતંકવાદીઓને અલકાયદાએ આપી ટ્રેનિંગ
મુંબઈ હુમલા સંબંધમાં પહેલીવાર ખુલાસો થયો કે 26 નવેમ્બર 2008મા રોજ થયેલ મુંબઈ હુમલાના નરસંહારને અંજામ આપનારાઓને અફગાનિસ્તાન સ્થિત અલકાયદાન શિબિરોમાં પ્રશિક્ષણ આપવામાં આવ્યુ હતુ. સૂત્રોએ સંકટ પર જોર આપતા સુરક્ષા સંદર્ભમાં ભારત માટે અફગાનિસ્તાનના જોખમનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે અફગાનિસ્તાન સાથે ભારતનું મુખ્ય હિત સંકળાયેલુ છે. ત્યાં જે પણ કાંઈ થાય છે તેની અમારા પર અસર થાય છે. સૂત્રોએ કહ્યુ કે 26/11ના હુમલામાં જવાબદાર કેટલાક લોકોને અફગાનિસ્તાનમાં અલકાયદાના શિવિરોમાં પ્રશિક્ષણ મળ્યુ હતુ. તેમણે કહ્યુ કે તેને નજરઅંદાજ નથી કરી શકાતુ. ભારત મુંબઈ હુમલા માટે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાને જવાબદાર બતાવતું રહ્યુ છે. એ તેમના સંગઠન જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિજ મોહમ્મદ સઈદ વિરુધ્ધ કાર્યવાહીની માગ કરી રહ્યુ છે. યુદ્ધગ્રસ્ત દેશમાં પોતાના હિતો પર વારંવાર થઈ રહેલ હુમલાઓ છતાં ભારત અફગાનિસ્તાનમાં ઘણી વિકાસ પરિયોજનાઓમાં જોડાયેલ છે.