સંબંધિત સમાચાર
- મહારાષ્ટ્ર ચૂંટણી વચ્ચે આ રિપોર્ટથી હલચલ, 2051 સુધી મુબઈમાં 51 ટકા ઘટશે હિન્દુઓને વસ્તી, વધી રહી છે મુસ્લિમ જનસંખ્યા
- બાંગ્લાદેશમાં મુસ્લિમ દુકાનદારે ઈસ્કોન મંદિર પર કરી અભદ્ર ટિપ્પણી, પોસ્ટ વાયરલ થતાં ફાટી નીકળી હિંસા
- અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત
- બાંગ્લાદેશમાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માત, પાંચના મોત, 27થી વધુ ઘાયલ
- IND vs BAN: ગ્વાલિયર બાદ ટીમ ઈન્ડિયાએ જીત્યો દિલ્હીનો કિલ્લો, બાંગ્લાદેશ સામે કર્યું મોટું કારનામું
Chinmaya krishna das- ચિન્મય દાસની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં વકીલની હત્યા મામલે ખળભળાટ મચી ગયો છે, હિન્દુ સંગઠને આરોપો પર સ્પષ્ટતા કરી છે.
હિન્દુ સંગઠન 'બાંગ્લાદેશ સમિત સનાતની જાગરણ જોતે' એક નિવેદનમાં કહ્યું છે કે વકીલ સૈફુલ ઈસ્લામની હત્યામાં કોઈ સનાતની સામેલ નથી. સમૂહ આયોજિત હત્યાને અંજામ આપીને સનાતનીઓને દોષી ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હિન્દુ સંગઠને ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની તાત્કાલિક બિનશરતી મુક્તિ અને ચટગાંવ હિંસાની ન્યાયિક તપાસની માંગ કરી છે.
બાંગ્લાદેશી મીડિયાના અહેવાલો અનુસાર, મંગળવારે સુરક્ષાકર્મીઓ અને હિન્દુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકો વચ્ચે અથડામણ દરમિયાન એક વકીલનું મોત થયું હતું. બાંગ્લાદેશની લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ 25 નવેમ્બરના રોજ રાજદ્રોહના આરોપમાં ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરી હતી.
બાંગ્લાદેશની કોર્ટે મંગળવારે તેને જામીન આપ્યા ન હતા અને તેને જેલમાં મોકલી દીધો હતો. આ પછી ચિન્મય દાસના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા અને હિંસક દેખાવો શરૂ કર્યા. બાંગ્લાદેશના અગ્રણી અખબાર ડેઈલી સ્ટારના જણાવ્યા અનુસાર સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણ દરમિયાન પત્રકારો સહિત ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે.
