1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ત્રિપોલી , બુધવાર, 27 ઑગસ્ટ 2008 (14:51 IST)

અપહ્યત વિમાનને ફ્રાંસ લઈ જવાશે

સુડાની વિમાનનું અપહરણ દારર્ફુરનાં એક વિદ્રોહી સમૂહ સાથે જોડાયેલાં આતંકવાદીઓએ કર્યું હોવાનું બહાર આવ્યું છે. અને, તેઓ લીબિયાથી વિમાનને પોતાનાં નેતા પાસે એટલે કે પેરીસ લઈ જવા માંગે છે.

લીબિયાનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે સન એયરનાં બોઈંગ 737 વિમાનનું કાલે અપહરણ દારર્ફુરનાં નયાલાથી ઉડાન ભર્યું, તેનાં થોડા સમય બાદ જ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. વિમાનનું ઈંધણ પુરૂ થઈ જતાં તેને લીબિયાનાં વિમાની મથક પર ઉતારવામાં આવ્યું હતું. જ્યાં અપહરણકર્તાઓએ લીબિયાનાં અધિકારીઓ સાથે કોઈ પ્રકારની સીધી વાત કરવાનો ઈન્કાર કર્યો હતો.

તો લીબિયાનાં કુફ્રાનાં સૈન્ય એરપોર્ટનાં નિર્દેશક ખાલિદ સાસેયાએ જણાવ્યું હતું કે અપહરણકર્તાઓએ લીબિયાનાં અધિકારીઓ સાથે વાત કરવાનો ઈન્કાર કરીને પ્લેનને ફ્રાંસ તરફ લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને, તેમની સંખ્યા 10 ની આસપાસ જેટલી હોવાની સંભાવના છે.

સાસેયાએ જણાવ્યું કે તે સુડાનનાં વિદ્રોહી નેતા અબ્દુલ વાહીદ મોહમ્મદ નુરનાં સુડાનીઝ લિબ્રેરેશન આર્મી સાથે સંકળાયેલા છે. જે પેરીસમાં રહે છે.