1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

ઈરાકમાં આત્મઘાતી હુમલો:21ના મોત

બગદાદની નજીક એક રાત્રિ ભોજન સમયે આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવેલ વિસ્ફોટથી ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા અને 32 અન્ય ઘાયલ થઈ ગયાં હતાં. રાત્રિ ભોજનમાં પોલીસ અને અલકાયદાની વિરુદ્ધ સતર્ક કરનાર સંગઠનના સભ્યોનો પણ સમાવેશ હતો.

ગૃહ મંત્રાલયના અધિકારીએ ગઈ કાલે જણાવ્યું કે બગદાદથી 30 કિ.મી. દૂર અબુ ગરીબ જીલ્લાની અંદર જ્યારે પોલીસ અને સુન્ની સતર્કતા સંગઠનના સભ્યો રાત્રિ ભોજન માટે બેઠા હતાં તે સમયે હુમલાખોરોએ વિસ્ફોટક દ્વારા પોતાને ઉડાવી દિધા હતાં.