ચીનમાં જબર્દસ્ત ભૂકંપ, 300 ના મૃત્યુ
ચીનના કિંધાઈ પ્રાંતમાં બુધવારે સવારે આવેલા 7.1 ની તીવ્રતાવાળા જબર્દસ્ત ભૂકંપમાં ઓછામાં ઓછા 300 લોકોના મૃત્યુ નિપજ્યાં છે જ્યારે આઠ હજાર લોકો લોકો ઘાયલ થયાં છે. શિન્હુઆ સંવાદ સમિતિના રિપોર્ટ અનુસાર ભૂકંપ સ્થાનીય સમયાનુસાર સવારે લગભગ સાત વાગ્યેને 49 મિનિટ પર યુશૂ કાઉન્ટીમાં આવ્યો જે લગભગ 33 કિલોમીટરની ઉંડાઈ પર કેન્દ્રિત હતો. ભૂકંપના કારણે મકાન ધસી પડ્યાં અને લોકો ઈજાગ્રસ્ત પણ થયાં. ચાઈના અર્થક્વેક નેટવર્ક સેન્ટર અનુસાર ભૂકંપનું કેન્દ્ર 33.1 ઉત્તર અને 96.7 પૂર્વમાં આંકવામાં આવ્યું. ભૂકંપના એક ઝડપી આંચકા બાદ ત્રણ અન્ય અને આંચકા નોંધવામાં આવ્યાં. સંવાદ સમિતિએ એક અધિકારીના હવાલે જણાવ્યું કે, ઘણા બધા લોકો ઘાયલ થયાં છે, જે ઘાયલ થયાં છે તેઓની સ્થાનિય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.