1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: કરાચી , બુધવાર, 14 એપ્રિલ 2010 (10:36 IST)

ઝીણા પર પુસ્તક લખવાનો અફસોસ નહીં : જસવંત

ND
N.D
પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણા પર પુસ્તક લખવાના કારણે ભાજપથી નિષ્કાષિત ભૂતપૂર્વ વિદેશ મંત્રી જસવંતસિંહે કહ્યું છે કે, તમણે ઝીણા વિષે જે કઈ પણ લખ્યું છે તેના પર તેમને કોઈ અફસોસ નથી.

ઉલ્લેખનીય છે કે, 'જિન્ના - ઈંડિય પાર્ટીશન એન્ડ ઈંડીપેંડેસ' નામના પુસ્તકમાં જસવંતે કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી અને સાથે જ ઝીણાની પ્રશંસા પણ કરી હતી જે ભાજપ અને સંઘને ન ગમ્યું અને તેમને પાર્ટીથી બહારનો રસ્તો જોવો પડ્યો.

પોતાના પુસ્તકના પાકિસ્તાનમાં લોકાર્પણ પ્રસંગે કરાચી આવેલા જસવંતે ભારત અને પાકિસ્તાન સરકારથી બન્ને દેશો વચ્ચે સંબંધો સુધારવાનો પ્રયાસ કરવાની પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બન્ને દેશો વચ્ચે ઘણી સામ્યતા છે અને સંબંધોમાં સુધાર લાવવામાં આવવો જોઈએ. કાશ્મીરનો મુદ્દાનું પણ વાતચીત મારફત સમાધાન શોધી શકાય છે.