1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: પેશાવર , રવિવાર, 21 માર્ચ 2010 (17:02 IST)

તાલિબાને ત્રણ લોકોના માથા વાઢ્યાં

પાકિસ્તાનના અશાંત પશ્વિમોત્તરમાં તાલિબાને ત્રણ કબાઈલી લોકો પર અમેરિકાની જાસૂસી કરવાનો આરોપ લગાડીને તેમનું માથુ વાઢી નાખ્યું છે.

સ્થાનીય નિવાસીઓએ જણાવ્યું કે, આ મૃતદેહ ઉત્તરી વજીરિસ્તાન કબાઈલી એજન્સીના મિરાનશાહથી પૂર્વમાં 24 કિલોમીટર દૂર સ્થિત એક સ્થાનેથી આજે કબ્જે કરવામાં આવ્યા.

મૃતદેહ નજીક પડેલા લખાણ કહે છે કે, અમેરિકા માટે તાલિબાનની જાસૂસી કરવા પર આ લોકોના માથા વાઢી નાખવામાં આવ્યાં છે.

તેમાં સાવેચેત કરવામાં આવ્યાં છે કે, જાસૂસી કરનારા અન્ય લોકોનો પણ આવો જ હાલ થશે. તાલિબાને છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનના કબાઈલી ક્ષેત્રમાં જાસૂસી કરવાના આરોપ લગાડીને દર્જનો કબાઈલી લોકો પર અફઘાન નાગરિકોના માથા વાઢી નાખ્યાં છે.