Last Modified: પેશાવર/ઈસ્લામાબાદ , સોમવાર, 12 એપ્રિલ 2010 (15:36 IST)
પાકિસ્તાનમાં 43 આતંકવાદી ઠાર
યુદ્ધક હેલિકોપ્ટરોથી લૈસ સૈનિકોને પશ્વિમોત્તર પાકિસ્તાનમાં ઓરકજઈ કબીલાઈ ક્ષેત્રમાં હુમલો કરીને 43 આતંકીઓને ઠાર કરી દીધા. સેનાએ તેમના છુપાવાના ત્રણ ઠેકાણાઓને નષ્ટ કરી દીધા.
આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે, ઓરકજઈ એજન્સીના બૈજોત ક્ષેત્રમાં સુરક્ષા ટુકડીએ એક હુમલાને નિષ્ફળ કરી 10 આતંકવાદીઓને ઠાર કર્યા.
આ સંઘર્ષમાં બે સુરક્ષાકર્મી પણ ઘાયલ થયાં છે. સૈનિકોએ હાલમાં તાલિબાનના આતંકવાદીઓથી બૈજોત પર કબ્જો કરી લેવામાં આવ્યો હતો.
આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે, જમીની સુરક્ષા ટુકડીએ ઓરકજઈ એજન્સીના સાંઘરા, સામ અને નાખ્તારો ઘર વિસ્તારોમાં અભિયાન ચલાવ્યું.
તેમણે જણાવ્યું કે, આ અભિયાનમાં 12 આંતકવાદી મૃત્યુ પામ્યાં અને આતંકવાદીઓના ત્રણ ઠેકાણાઓને નષ્ટ કરી દેવામાં આવ્યાં જ્યા શેરિન દર્રા ક્ષેત્રમાં ભીષણ સંઘર્ષમાં 11 આંતકી સૈનિકોના હાથે મૃત્યુ પામ્યાં.
સુરક્ષા અધિકારીઓએ દાવો કર્યો કે, ઓરકજઈમાં અભિયાન શરૂ કરવામાં આવ્યાં બાદથી અત્યાર સુધી અહીં લગભગ 300 આતંકવાદી મૃત્યુ પામી ચૂક્યાં છે. આ સંઘર્ષમાં એક દર્જન સુરક્ષાકર્મીઓનું પણ મૃત્યુ નિપજ્યું છે.