1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ઈસ્લામાબાદ , ગુરુવાર, 15 એપ્રિલ 2010 (11:22 IST)

ભૂતકાળને ભૂલવાની જરૂરિયાત : જરદારી

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીએ દક્ષિણ એશિયાના નેતાઓને કહ્યું છે કે, ક્ષેત્રમાં સ્થાયી શાંતિ માટે લંબિત મામલાઓના સમાધાનની દિશામાં તે વીતેલી વાતોને વિઘ્ન ન બનવા દે

ભારતના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને લેખક જસવંતસિંહ સાથે રાષ્ટ્રપતિ ભવનમાં મુલાકાત દરમિયાન જરદારીએ આ ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે, ભૂતકાળના કાળા પડછાયામાંથી નિકળીને વિચારવા અને સંદેહ તથા અવિશ્વાસને દૂર કરી પરસ્પર સંબંધ સ્થાપિત કરવાની જરૂરિયાત છે.

જરદારીએ કહ્યું છેલ્લા 60 વર્ષોથી વધુ સમયથી સુરક્ષાની નીતિઓથી સૌથી વધારે આ ક્ષેત્રના લોકો પ્રભાવિત થયાં છે. જરદારીએ કહ્યું કે, અમારા લોકો ચરમપંથ અને ગરીબીથી ઘેરાયેલા છે.

આ સમસ્યામાંના સમાધાન માટે સંયુક્ત રીતે કામ કરવાની જરૂરિયાત છે. સિંહની બૌદ્ધિક પહેલનું માન વધારતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ઉદ્દેશ્યપકર વિદ્વતા અને સ્વતંત્ર તથા જવાબદાર મીડિયા અવિશ્વાસના વાતાવરણ દૂર કરવા તથા ક્ષેત્રના લોકો નજીલ લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન કરી શકે છે.