1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , મંગળવાર, 13 એપ્રિલ 2010 (12:49 IST)

રાત્રિભોજન પર ગિલાની મનમોહનની મુલાકાત

ND
N.D
પરમાણુ સુરક્ષા શિખર સમ્મેલનમાં સોમવારે બરાક ઓબામાના રાત્રિભોજન પર પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીએ મનમોહન સિંહ સાથે વાતચીત કરી. બન્ને નેતાઓ વચ્ચે જો કે, આ વાતચીત અમુક મિનિટો સુધી જ ચાલી.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિષ્ણુ પ્રકાશે પત્રકારોને જણાવ્યું કે, બન્ને નેતાઓએ હાથ મિલાવ્યાં અને એક બીજાના હાલચાલ પુછ્યાં. પ્રવક્તાએ જો કે, આ મુલાકાતના વિવરણનો ખુલાસો ન આપ્યો જો કે, પત્રકારો આ મુદ્દે તેમના પર જોર નાખી રહ્યાં હતાં. આ સમ્મેલન દરમિયાન ભારત અને પાકિસ્તાનના નેતાઓએ દ્વિપક્ષીય બેઠકને નજરંદાજ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પરમાણુ બોમ્બ બનાવામાં ઉપયોગમાં આવનારી સામગ્રીને આતંકવાદીઓના હાથમાં ન લાગવા દેવા માટે એક વિશેષ યોજના બનાવાના ઉદ્દેશ્યથી વોશિંગ્ટનમાં 47 દેશોના નેતા ઝુંટાયા છે. રાષ્ટ્રપતિના અતિથિ ગૃહ બ્લેયર હાઉસમાં રવિવારે બપોરે મનમોહન સિંહ તથા ગિલાનીએ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાંથી અલગ અલગ મુલાકાત કરી પરંતુ બન્ને પક્ષોએ દ્વિપક્ષીય બેઠકથી ઈંકાર કર્યો.

છેલ્લા ચાર માસમાં બીજી વખત બહુપક્ષીય શિખર વાતચીત દરમિયાન બન્ને દેશોના નેતાઓએ ઔપચારિક દ્વિપક્ષીય બેઠકથી ઈંકાર કર્યો છે.

ભૂટાનની રાજધાની થિંપૂમાં 28-29 એપ્રિલના રોજ યોજાનારી દક્ષિણ એશિયાઈ ક્ષેત્રીય સહયોગ સંગઠન (દક્ષેસ) શિખર સમ્મેલન દરમિયાન બન્ને દેશોના નેતાઓ વચ્ચે બેઠક યોજાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ સમ્મેલનમાં પ્રથમ ચર્ચાથી બચવા માટે બન્ને દેશોએ વોશિંગ્ટનમાં દ્વિપક્ષીય વાતચીતથી બચવાનો સાવધાનીપૂર્વક નિર્ણય લીધો.