1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , મંગળવાર, 13 એપ્રિલ 2010 (12:38 IST)

લશ્કર વિરુદ્ધ વધુ પૂરાવા જોઈએ : ગિલાની

PIB
P.R
પરમાણુ શિખર સમ્મેલનમાં હાજરી આપી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીએ મુંબઈ હુમલાને અંજામ આપનારા લશ્કર-એ-તૈયબા વિરુધ કડક કાર્યવાહી કરવા માટે હજુ વધુ પૂરાવાઓની જરૂરિયાત જણાવી અને પાકિસ્તાની ધરતીથી ભારત પર આતંકવદી હુમલા કરનારા સંગઠનનોને સહન ન કરવાનો વાયદો કર્યો.

ગિલાનીએ સોમવારે પત્રકારોને જણાવ્યું કે, વડાપ્રધાન મનમોહનસિંહની ચિંતાઓના સંદર્ભમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ તેમની સમક્ષ લશ્કર વિરુદ્ધ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું, ' જો અમારી પાસે વધુ પ્રભાવી સાક્ષ્યો હશે તો તેમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. અમે નથી ઈચ્છતા કે, કોઈ દેશની વિરુદ્ધ અમારી જમીનનો ઉપયોગ થાય અને અમે બીજાની જમીનને પણ પાકિસ્તાન વિરુદ્ધ ઉપયોગ કરવા નહીં દઈએ.

ભારતીય વિદેશ સચિવ નિરુપમા રાવે રવિવારે જણાવ્યું હતું કે, સિંહે ઓબામાથી મુલાકાત દરમિયાન મુંબઈ હુમલામાં શામેલ લોકો વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા ઠોસ કાર્યવાહી કરવામાં આવવા પર જોર આપ્યું હતું. ગિલાનીએ કહ્યું 'રાષ્ટ્રપતિ ઓબામાએ મારી સાથે ચર્ચા કરી. તે ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો ઈચ્છે છે.' ઉલ્લેખનીય છે કે, 26 નવેમ્બર 2008 ના રોજ મુંબઈમાં થયેલા હુમલામાં લગભગ 176 લોકો મૃત્યુ પામ્યાં હતાં.