1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લંડન , બુધવાર, 24 માર્ચ 2010 (17:07 IST)

સાત હજાર પાઉન્ડમાં વેચાયો હિટલરનો પત્ર

જર્મની અને બ્રિટેન વચ્ચે સાચા સૌહાર્દપૂર્ણ સંબંધોને પ્રોત્સાહન આપવા માટે તાનાશાહ એડોલ્ફ હિટલર દ્વારા લખવામાં આવેલો એક એતિહાસિક પત્ર આઠ હજાર પાઉન્ડમાં વેંચાયો છે.

હકીકતમાં બ્રિટિશ પત્રકાર સેફન ડેલ્મરે હિટલરથી અનુરોધ કર્યો હતો કે, તે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા બ્રિટેન વિષે એક લેખ લખે. આ એક પૃષ્ઠનો પત્ર 30 ડિસેમ્બર 1931 ના રોજ એ અનુરોધના જવાબમાં લખવામાં આવ્યો હતો.

પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ બિટ્રેન અને જર્મની વચ્ચે થયેલી સમજૂતિના સ્થાને એક નવી સમજૂતિ થવાની આશાઓ વ્યક્ત કરતા આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, હું આશા રાખું છું કે, સંકટ સામે ઝઝૂમી રહેલું બ્રિટેન તેનાથી નિવાડો લાવવા માટે તૈયાર હશે. તેમણે લખ્યું કે, મને ખુબ જ ખુશી થશે, જો તેના પરિણામસ્વરૂપ, યુદ્ધની માનસિકતાથી અમે બહાર નિકળી જઈએ અને બ્રિટેન તથા જર્મની વચ્ચે સોહાર્દપૂર્ણ સંબંધો કાયમ કરી શકીએ.