Last Modified: વોશિંગ્ટન , સોમવાર, 12 એપ્રિલ 2010 (15:38 IST)
હેડલી પર ભારતને અમેરિકાનું આશ્વાસન
પ્રધાનમંત્રી મનમોહનસિંહે ગત રાત્રે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરીને પાકિસ્તાનથી સતત આવી રહેલા આતંકી ખતરા અને 26/11 હુમલા માટે જવાબદાર લોકોને દંડિત કરવાની પડોશી દેશની અનિચ્છાને રેખાંકિત કરી. તેમણે ડેવિડ હેડલી સુધી પહોંચ પ્રાપ્ત કરવા વિષે અમેરિકી રાષ્ટ્રાધ્યક્ષથી આશ્વાસન પ્રાપ્ત કર્યું.
આ મુલાકાતમાં ઓબામાએ એ વાયદો પણ કર્યો કે, તે પાકિસ્તાનને અમેરિકી સૈન્ય આપૂર્તિને અંતત: થનારા ઉપયોગ પ્રત્યે ભારતની ચિંતાઓનું પણ ધ્યાન રાખશે. સિંહે આ સંબંધમાં પોતાની આશંકાઓ પ્રકટ કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, તે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને ઓછો કરવાના પક્ષઘર છે પરંતુ પ્રધાનમંત્રીએ એ સાફ કરી દીધું છે કે, દક્ષિણ એશિયાનું ભવિષ્ય એ વાત પર નિર્ભર કરશે કે, આતંકવાદથી કેવી રીતે નિવાડો આવે છે.
ઓબામાએ કહ્યું કે, અમેરિકા હેડલી સુધી ભારતને પહોંચાડવા માટે કાયદાકિય પ્રક્રિયઓ પર કામ કરી રહ્યું છે. વિદેશ સચિવ નિરુપમા રાવે પત્રકારોને કહ્યું કે, ઓબામા આ પ્રકારની જોગવાઈથી જોડાયેલા અમારા અનુરોધ પર પૂરુ સમર્થન કર્યું. તેમણે કહ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિના આધાકારિક અતિથિ ગૃહ બ્લેયર હાઉસમાં આશરે એક કલાક સુધી ચાલેલી બેઠક દરમિયાન સિંહે જોર આપ્યું કે, પાકિસ્તાનને મુંબઈ હુમલા માટે જવાબદાર લોકો વિરુદ્ધ વિશ્વસનીય કાર્યવાહી કરવાની જરૂરિયાત છે.