મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 30 ઑગસ્ટ 2008 (19:29 IST)

ન્યુકડીલ બાબતે મનમોહન સોનિયાની મુલાકાત

પ્રધાનમંત્રી મનમોહનસિંહે વિયેનામાં પરમાણુ આપૂર્તિકર્તા દેશોનાં સમૂહ એનએસજીની બેઠક પૂર્વે પરમાણુ મુદ્દા પર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે ચર્ચા વિચારણા કરી હતી.

આ બેઠકમાં વિદેશમંત્રી પ્રણવ મુખર્જી અને કોંગ્રેસ અધ્યક્ષનાં રાજનીતિક સચિવ અહમદ પટેલ હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે અમેરિકા તરફથી તૈયાર થયેલા મુસદ્દા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે સુધારેલા મુસદ્દાને ચાર અને પાંચ સપ્ટેમ્બરનાં રોજ એનએસજીની બેઠકમાં રજુ કરવામાં આવશે.

આ પહેલાં મનમોહનસિંહ, રાષ્ટ્રીય સલાહકાર એમ કે નારાયણન અને પરમાણુ ઉર્જા આયોગનાં અધ્યક્ષ અનિલ કાકોડકરે પણ આ મુદ્દે ચર્ચા કરી ચુક્યાં છે. સુત્રોનાં જણાવ્યાનુસાર ભારત આ મુસદ્દામાં ઓછામાં ઓછા ફેરફારની આશા રાખે છે.