1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

મોદી આજે મણિનગરથી ઉમેદવારી પત્રક ભરશે

P.R
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે 30 નવેમ્બરના રોજ મણિનગર વિધાનસભાના ભાજપના ઉમેદવાર તરીકે સતત ત્રીજીવાર ઉમેદવારીપત્રક ભરશે. ફોર્મ ભરતા અગાઉ મણિનગર વિસ્તારના કાર્યકર્તાઓને સંબોધશે. પ્રદેશ મીડિયા સેલના સહકન્વીનર ડો. હર્ષદ પટેલે જણાવ્યુ હતુ કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 11 કલાકે આવકર હોલ પાસેનું મેદાન ગુરુજી બીજના છેડે, મણિણગર ખાતે મણિનગર વિધાનસભા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યા બાદ કલેક્ટર કચેરી સુભાષબ્રીજ ખાતે વિજય મુહુર્ત 12.39 કલાકે ઉમેદવારી પત્રક ભરશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સતત ત્રીજીવાર મુખ્ત્યમંત્રી મણિનગરના ઉમેદવાર તરીકે ઉમેદવારીપત્રક ભરશે. ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૂષોત્તમ રૂપાલા સહિત કાર્યકર્તાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. ભાજપની બીજી યાદી જાહેર થયા બાદ સામાન્ય આંતરિક અસંતોષ જોવા મળ્યો. પણ જાહેર વિરોધ જોવા નથી મળ્યો.