Last Modified: અમદાવાદ , સોમવાર, 23 માર્ચ 2009 (12:59 IST)
રાજાપાટમાં કોન્સ્ટેબલ ભાન ભુલ્યો !
શહેરના મણીનગર પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ ગત રાતે નશાના રાજાપાટમાં ભાન ભુલ્યો હતો અને એક દુકાનમાં તોડફોડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અહીંના પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રિસંહ બારીયા ગત રાતે નશામાં ધૂત બન્યો હતો અને રેડ કરવા આવ્યો છું એવું કહી નજીકની એક દુકાનમાં ઘુસી જઇ તોડફોડ કરી હતી. છેવટે આ અંગે કંટ્રોલરૂમને જાણ કરાતાં આવી પહોંચેલી પોલીસે છાકટા બનેલા કોસ્ટેબલ વિરૂધ્ધ ગુનો નોંધી તેની અટક કરી હતી.