ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Updated : શુક્રવાર, 19 મે 2023 (18:05 IST)

IPL 2023 PlayOffs Scenario : CSK, LSG અને RCB માટે પ્લેઓફમાં જવાની સૌથી સરળ રીત, ક્યાય બીજે નહી મળે

IPL paly off
IPL 2023 PlayOffs Scenario Chance : પ્લેઓફ સિનેરિયો. એટલે કે આઈપીએલ 2023ના ટૉપ 4માં જવાની જંગ ચાલી રહી છે.  ક્રિકેટની દુનિયામાં જો હાલ કોઈ વાત થઈ રહી છે તો એ જ કે  આ વર્ષે આઈપીએલ પ્લેઓફમાં જઅનરી ચાર ટીમો કંઈ હશે.  આઈપીએલના હવે ફક્ત પાંચ મેચ બચ્યા છે અને લીગ ચરણના ત્રણ દિવસ બાકી છે. પણ ગુજરાત ટાઈટંસના ઉપરાંત કોઈપણ ટીમે હજુ સુધી પ્લેઓફ માટે ક્વાલીફાય કર્યુ નથી. ગુરૂવારે જ્યારે આરસીબી અને એસઆરએચની વચ્ચે મેચ રમાઈ તો આશા હતી કે જો સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આરસીનીને  હરાવી દે તો ચેન્નઈ સુપરકિંગ્સ અને લખનૌ સુપર જાયંટ્સ પ્લેઓફમાં જતી રહેશે અને એક ટીમ માટે સ્થાન ખાલી રહેશે.  પણ આટલી જલ્દી આરસીબી હારી જાય તો વાત જ શુ છે. આરસીબીઈ મેચ જીતીને નંબર ચારની ખુરશી પર કબજો કરવા ઉપરાંત બીજી ટીમોની મુશ્કેલીઓ વધારી દીધી છે. આમ તોપ્લેઓફને લઈને બધા ગુણા અને સમીકરણ બેસાડવમાં આવી રહ્યા છે. જેનાથી ટૉપ 4ની ટીમો પ્લેઓફ માટે ક્વાલીફાય કરી શકે છે. 
 
ગુજરાત ટાઈટંસ પછી સીએસકે અને એલએસસીની રાહ થઈ સરળ 
 
જો તમે IPL 2023ના પોઈન્ટ ટેબલ પર નજર નાખો તો હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ગુજરાત ટાઈટન્સને છોડી દો. કારણ કે ટીમ હવે પછીની મેચ જીતીને 20 પોઈન્ટ પર જાય કે  હારીને 18 પોઈન્ટ પર રહે. તેને પોતાની કે   
વાત કરીએ MS ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નઈ સુપરકિંગ્સની ચેન્નાઈ સુપર કિંગ્સની એક મેચ બાકી છે અને ટીમ 13 મેચમાંથી 15 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. ટીમની આગામી મેચ શનિવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સાથે થશે, આ મેચ બપોરે 3.30 વાગ્યાથી રમાશે. આ દિવસે એટલે કે 20 મેના રોજ, લખનૌ સુપરજાયન્ટ્સ સાંજે  કેકેઆર સામે ટકરાશે. LSGએ પણ 13 મેચમાં 15 પોઈન્ટ મેળવ્યા છે, ટીમ હાલમાં ત્રીજા નંબર પર છે. જો CSK અને LSG પોતપોતાની મેચ જીતશે તો તેઓ પ્લેઓફમાં પ્રવેશ કરશે. એટલે કે ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સના 17 પોઈન્ટ હશે. સીએસકે નુ નેટ રન રેટ 0.381 અને LSGનો નેટ રન રેટ 0.304 છે. એટલે કે જો પોઈન્ટ્સ સમાન હશે તો જે ટીમનો નેટ રન રેટ વધુ સારો હશે તે નંબર બે અને બીજી ટીમ ત્રીજા નંબરે આવશે. પરંતુ જો આ બંને ટીમો પોતાની મેચ હારી જશે તો સમીકરણ અલગ હશે. પરંતુ પ્લેઓફમાં પ્રવેશવાનો સૌથી સરળ રસ્તો એ છે કે જીતવું અને પ્લેઓફમાં રમવું.
 
આરસીબી અને મુંબઈ ઈન્ડિયન્સમાંથી કોઈ એક ને મળશે તક  
હવે વાત કરીએ RCBની. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ સમયે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબરે આવી ગયું છે અને તેણે પ્લેઓફ માટે નવો દાવો કર્યો છે. RCBની આગામી મેચ 21મી જૂનની સાંજે ગુજરાત ટાઇટન્સ સામે છે, જે અત્યાર સુધી મેચ જીતી રહી છે.  આ મેચ RCBના પોતાના ઘર બેંગલુરુમાં રમાશે. જો આરસીબીની ટીમ આ મેચ જીતી જાય છે તો પ્લેઓફમાં જવાનો રસ્તો લગભગ ખુલી જશે, પરંતુ તેનો રસ્તો સીએસકે અને એલએસજીની જેમ સહેલો નહી રહે.  કારણ કે મુંબઈ ઈન્ડિયન્સ રસ્તામાં ઉભી છે. મુંબઈ ઈન્ડિયન્સ અત્યારે પાંચમા નંબર પર છે અને તેના પણ 14 પોઈન્ટ છે. જો RCB અને મુંબઈ ઈન્ડિયન્સ પોતપોતાની મેચ જીતી જાય તો તેમના પોઈન્ટ 16 થઈ જશે. હવે નિર્ણય નેટ રન રેટના આધારે થશે. એટલે કે, જે ટીમનો નેટ રન રેટ સારો હશે, તે ટીમ પ્લેઓફમાં પ્રવેશ કરશે, જેનો નેટ રન રેટ સારો હશે અને તેટલા જ પોઈન્ટ્સ હશે, તે ટીમ નબળી નેટ રન રેટને કારણે બાકી રહેશે. અત્યારની વાત કરીએ તો RCBનો રનરેટ 0.180 અને મુંબઈ ઈન્ડિયન્સનો -0.128 છે. જો આમાં વધારે ફેરફાર નહીં થાય તો RCB આરામથી પ્લેઓફમાં જશે. RCB માટે એ પણ આસાન છે કે તેણે 21 જૂને છેલ્લી લીગ મેચ રમવાની છે, એટલે કે તેની સામે ટાર્ગેટ હશે કે તે કેટલી ઓવરમાં મેચ જીતશે, પછી તે ટોપ 4માં જશે. બીજી બાજુ મુંબ ઈ ઈંડિયંસને જો પ્લેઓફમાં જવુ છે તો માત્ર જીતવાથી નહી ચાલે તેને મોટી જીત નોંધાવવી પડશે. જેથી તેમનો રનરેટ સુધરી જાય. તેનાથી પણ સહેલી રીત છે કે મુંબઈ ઈંડિયંસ પોતાની મેચ હારી જાય તો બાકી ઉપરની બધી ટીમ આપમેળે જ પ્લેઓફમાં પહોચી જશે.