શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (08:57 IST)

મા લક્ષ્મીની કૃપાથી 119 દિવસ સુધી આ રાશિના જાતકો ખૂબ કમાવશે ધન-દોલત, નહી રહે કોઈ વાતની કમી

મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. મા લક્ષ્મીની કૃપાથી જીવન સુખમય બની જાય છે. જ્યોતિષની ગણના મુજબ 31 ડિસેમ્બર, 2021 સુધી એટલે કે 119 દિવસ સુધી કેટલીક રાશિઓ પર મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેવાની છે. આ રાશિઓ માટે 31 ડિસેમ્બર 2021 સુધીનો સમય કોઈ વરદાન જેવો રહેશે. માતા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે. આવો જાણીએ કઈ રાશિઓ પર 119 દિવસ સુધી માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.
 
મેષ
 
મેષ રાશિના જાતકો માટે આવનારા 119 દિવસ શુભ રહેવાના છે.
આર્થિક સ્થિતિ મજબૂત રહેશે.
રોકાણ કરવાથી લાભ થશે. 
પારિવારિક જીવન સુખમય રહેશે.
મા લક્ષ્મીની કૃપાથી જીવન આનંદમય બની જશે.
ખર્ચમાં કમી આવશે. 
આ વર્ષ લેવડ-દેવડ માટે ખૂબ જ શુભ રહેશે.
 
સિંહ રાશિ
 
આ સમય સિંહ રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે.
આ સમયે નવું મકાન કે ઘર ખરીદી શકો છો.
મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.
દાંમ્પત્ય જીવન સુખી રહેશે.
નવું કામ શરૂ કરવા માટે સમય સારો છે.
લેવડ-દેવડ માટે સમય શુભ છે, પરંતુ લેવડ -દેવડ કરતા પહેલા કાળજીપૂર્વક વિચાર કરી લો. 
વર્ષના અંતે આર્થિક સ્થિતિ ઘણી સારી થઈ જશે. 
 
કન્યા રાશિ 
 
કન્યા રાશિ માટે ડિસેમ્બર સુધીનો સમય ખૂબ જ શુભ રહેવાનો છે.
મા લક્ષ્મીની કૃપાથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે.
નવું મકાન કે વાહન ખરીદી શકો છો.
વેપાર માટે આ સમય ખૂબ જ શુભ છે.
ધન- લાભ થશે, પરંતુ તમારે આ વર્ષે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે.
લેવડ-દેવડ માટે સમય શુભ રહેશે.
 
તુલા રાશિ 
 
તુલા રાશિ માટે ડિસેમ્બર સુધીનો સમય કોઈ વરદાન જેવો રહેશે. 
આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
રોકાણ માટે સમય સારો છે.
નવું વાહન ખરીદી શકો છો.
વ્યવહાર માટે પણ સમય સારો છે.
મા લક્ષ્મીની કૃપા રહેશે.
આવકના સ્ત્રોતમાં વધારો થશે.
 
વૃશ્ચિક રાશિ 
 
વૃશ્ચિક રાશિના જાતકોને માતા લક્ષ્મીની કૃપાથી ડિસેમ્બર સુધી ધન-લાભ થશે.
રોકાણ કરવા માટે સમય સારો છે.
આ સમયે નાણાકીય લાભ થશે, પરંતુ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરો.
વેપારી વર્ગ માટે સમય વરદાન જેવો રહેશે. 
તમને માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ મળશે.
નવું વાહન કે મકાન ખરીદવા માટે સમય શુભ છે
 
કુંભ રાશિ 
 
વર્ષના અંત સુધીમાં કુંભ રાશિના લોકોને માતા લક્ષ્મીજીનો  વિશેષ આશીર્વાદ મળશે.
નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે.
વેપાર માટે સમય સારો છે.
લેવડ-દેવડ કરવા માટે સમય કોઈ વરદાનથી ઓછો નથી.
રોકાણ કરવાથી લાભ થશે.