શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By
Last Updated : શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (18:25 IST)

સિંહ રાશિફળ 2023: નોકરી કરતા લોકોને પ્રમોશન અને ટ્રાન્સફરની તકો મળશે, આ વર્ષ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે ફાયદાકારક રહેશે.

sinh rashi
સિહ રાશિના વ્યક્તિઓના વ્યક્તિત્વ ખૂબ શાનદાર હોય છે. તેમનુ વ્યક્તિત્વ તેમની રાશિના પ્રતીક ચિન્હ સિંહ સમાન હોય છે. તમારા રાશિનો સ્વામી સૂર્ય છે. સિંહ રાશિના લોકોનો સ્વભાવમાં નેતૃત્વનો ગુણ જન્મજાત હોય છે. આ લોકો નિડર સાહસી અને દ્રઢ નિશ્ચયી હોય છે.  આ લોકો એક રાજાની જેમ જીવન  જીવવામાં વિશ્વાસ કરે છે. તેમનુ વ્યક્તિત્વ ખૂબ જ જોશીલુ અને આકર્ષક હોય છે. આ લોકો નિડર થઈને પોતાની વાત બધાની સામે મુકે છે,  અને પોતાના નિણય પર કાયમ રહે છે.  તેમની અનોખી સ્ટાઈલને કારણે લોકો તેમની તરફ ખૂબ જ ઝડપથી આકર્ષિત થઈ જાય છે. આ લોકો સાચા મિત્રો સાબિત થાય છે. આ લોકો સ્વભાવે ખૂબ જ પ્રમાણિક હોય છે.
 
કરિયર - કરિયરની દ્રષ્ટિએ આ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, દસમા ઘરથી દસમા ઘર સુધી, રાશિનો સ્વામી શનિ, જે 17 જાન્યુઆરીથી તમારા સાતમા ભાવમાં ગોચર કરશે, તે તમને વ્યવસાયની વ્યવસ્થાઓ માટે નવી યોજનાઓને સાકાર કરવામાં ઘણી મદદ કરશે. એપ્રિલ પછી, દેવ ગુરુ બૃહસ્પતિનું સંક્રમણ મેષ રાશિમાં એટલે કે તમારા ભાગ્ય ઘરમાં થશે. દેવગુરુ બૃહસ્પતિ તમારા વ્યવસાય અને નોકરીમાં કેટલીક નવી સિદ્ધિઓ સૂચવે છે. આ વર્ષે તમે કોઈની સાથે ભાગીદારીમાં નવો બિઝનેસ શરૂ કરી શકો છો. આ વર્ષે તમારા ગુપ્ત દુશ્મનો તમારી સામે સંપૂર્ણપણે પરાજિત થશે. સિંહ રાશિના જે લોકો નોકરીમાં છે તેઓને નોકરીમાં પુરુ સન્માન મળશે.
સિહ રાશિનુ પારિવારિક જીવન 
 
સિંહ રાશિના જાતકોના પરિવારમાં જો આ વર્ષે સાંમજસ્ય કાયમ  રહેશે તો ક્યારેક પરિવારમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જીવનસાથી સાથે, રાશિથી સાતમા ભાવમાં શનિ આમતો પરિસ્થિતિને સારી રાખશે પરંતુ ક્યારેક સાંમજસ્ય જાળવી રાખવાની જરૂર પડશે. આઠમા ભાવમાં શનિ એપ્રિલ સુધી  પારિવારિક જીવનમાં સુધારો કરી રહ્યો છે. એપ્રિલ પછી ગુરુ લાભદાયી રહેશે, સંતાનના ઘર પર તેમની દ્રષ્ટિ સંતાનની ઈચ્છા ધરાવતા દંપતીઓ માટે મદદરૂપ સાબિત થશે.
 
આરોગ્ય
આ વર્ષે સિંહ રાશિના લોકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઓછી રહેશે, છઠ્ઠા ઘરનો સ્વામી શનિ તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સંક્રમણ કરશે. શનિનું આ સંક્રમણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત સૂચવે છે.આઠમા ભાવમાં ગુરુ પોતાના રાશિમાં હોય તો સ્વાસ્થ્ય સંબંધી કોઈ જૂની સમસ્યામાંથી મુક્તિ મળે છે. 
પરંતુ એપ્રિલ પછી તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ જેથી કરીને કોઈ જૂની બીમારી તમને ફરી પરેશાન ન કરી શકે.
 
આર્થિક સ્થિતિ
આર્થિક બાબતોમાં આ વર્ષ સારું રહેવાનું છે, આ વર્ષે અચાનક ધનલાભ થવાની સંભાવનાઓ રહેશે. નવમા ભાવમાં ગુરુ અને રાહુનું સંક્રમણ અચાનક નાણાંકીય લાભ મળવાની સંભાવના દર્શાવે છે. તમારા લાભ ઘર અને બીજા ઘરનો સ્વામી બુધ આ વર્ષે તમારા નફા અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવા જઈ રહ્યો છે. તમે કોઈ એવી જગ્યાએ રોકાણ કરી શકો છો જેમાં તમને ભવિષ્યમાં કોઈ મોટો નફો મળી શકે છે.
 
અભ્યાસ પરીક્ષા 
શિક્ષણ ક્ષેત્રે જે લોકો ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેઓ એપ્રિલ સુધીમાં અભ્યાસ પરનું ધ્યાન ઓછું કેન્દ્રીત કરી શકશે. એપ્રિલ પછી, જ્યારે દેવ ગુરુ બ્રહસ્પતિની દ્રષ્ટિ તેમના પાંચમા ભાવ પર હશે, ત્યારે તે પોતાના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપી શકશે. ઉચ્ચ શિક્ષણ માટે બહાર જવા માંગતા લોકો માટે આ વર્ષ વરદાનરૂપ  સાબિત થઈ શકે છે.
 
ઉપાય 
 
સિંહ રાશિમાં સૂર્યને બળવાન બનાવવા માટે દરરોજ સૂર્યદેવને જળ અર્પિત કરો. રવિવારે સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરો. 
હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ગોળ વગેરેનું દાન કરો. 
ગરીબ લોકોને મદદ કરો. 
પિતાની સેવા કરો. આમ કરવાથી સૂર્ય શુભ બને છે.