ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (17:54 IST)

આ દિવસે ચાંદ પર ઉતરશે ચંદ્રયાન 2, 48 દિવસમાં પૂર્ણ કરશે સફર

ઈસરોના મહત્વકાંક્ષી મૂન મિશન ચંદ્રયાન 2એ બપોરે 2.43 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેંદ્રથી ઉડાન ભરી. બાહુબલીના નામથી ચર્ચિત જીએસએલવી માર્ક 3 રૉકેટ સામાન્ય રૂપથી કામ કરી રહ્યું છે. લાંચિંગ માટે રવિવારે સાંજે 6.53 વાગ્યેથી આશરે 20 કલાકની ઉંધી ગણના શરૂ કરાઈ હતી. 
ચંદ્રયાન 2 તેમના લાંચિંગના 48મા દિવસે ચાંદની ધરતી પર ઉતરશે. 
પહેલા તેને 15 જુલાઈને લાંચ કરાવવાના હતા. પણ તે સમયે લાંચ વ્હીકલમાં લીક જેવી તકનીકી કમીની ખબર પડતા તેને ટાળી દીધું હતું. આ મિશનને લઈને ઈસરોએ ઘણા ફેરફાર કર્યા  છે જેનાથી  લાંચિંગમાં થનારી મોડેનો અસર નહી થશે.
 
મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય 
ભૂકંપીય ગતિવિધિના અભ્યાસ 
ચંદ્રમા પર પાણીની માત્રાનો અંદાજો લગાવવું 
ચંદ્રમાના બાહરી વાતાવરણની તાપ-ભૌતિકી ગુણોના વિશ્લેષણ છે. 
ચાંદની જમીનમાં રહેલ ખનિજ અને રસાયન અને તેમના વિતરણનો અભ્યાસ કરવું. 
 
સમય બચાવવા માટે ધરતીનો એક ચક્કર ઓછું 
લાંચિંગની તારીખ આગળ વધારવા ચંદ્રયાન 2 ચંદ્રમા ઓઅર નક્કી તારીખ 6-7 સેપ્ટેમ્બરને જ પહોંચશે. તેને સમય પર પહૉચાવવાના ઉદ્દેશ્ય આ છે કે લેંડર અને રોવર નક્કી કાર્યક્રમના હિસાબે કામ કરી શકે. સમય બચાવવા માટે ચંદ્રયાન પૃથ્વી પરનો એક ચક્કર ઓછું લગાવશે. પહેલા 5 ચક્કર લગાવવાના હતા. 
 
પણ હવે 4 ચક્કર લગાવશે. તેને લેંડિંગ એવી જગ્યા નક્કી કરી છે જ્યાં સૂરજની રોશની વધારે છે. રોશની 21 સેપ્ટેમબર પછી ઓછી થવા શરૂ થશે. લેંડર-રોવરને 15 દિવસ કામ કરવું છે. તેથી સમય પર પહોચવું જરૂરી છે.